જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ
જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ
Published on: 25th August, 2026

જામનગરના દરિયાકાંઠે રાષ્ટ્રીય સલામતી અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મરીન કમાન્ડો દ્વારા મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર, અસામાજિક, આતંકવાદી અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. જામનગરનો દરિયાકાંઠો માછીમારી અને વેપાર બંને માટે અત્યંત મહત્વનો હોવાથી, સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કમાન્ડોની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.