જામનગર નજીક ચેલામાં કબૂતરોના મુદ્દે ઝઘડો
જામનગર નજીક ચેલામાં કબૂતરોના મુદ્દે ઝઘડો
Published on: 25th August, 2026

જામનગરના ચેલા વિસ્તારમાં કબૂતરો ઝુપડા પર બેસવા અને તેમને ઉડાડવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો થયો છે. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મુકેશભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, પાડોશમાં રહેતા નવઘણ રતીભાઈ સોલંકી, જગમાલ રતીભાઈ સોલંકી અને તેમની માતા લખીબેન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.