રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો 'વિરાસતથી વિકાસ - 2026' તરીકે ઓળખાશે
રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો 'વિરાસતથી વિકાસ - 2026' તરીકે ઓળખાશે
Published on: 25th August, 2026

રાજકોટમાં યોજાનારો જન્માષ્ટમીનો પરંપરાગત લોકમેળો આ વર્ષે 'વિરાસતથી વિકાસ લોકમેળો-2026' તરીકે ઓળખાશે. જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે, મેળાનું સુરક્ષિત આયોજન કરવા તમામ વ્યવસ્થાઓ પૂર્ણતાના આરે છે. રેસકોર્સ મેદાન ખાતે 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળા માટે ઈમરજન્સીને પહોંચી વળવા સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, એ.આઈ. બેઝ્ડ સિસ્ટમ અને ડ્રોન કેમેરાથી સતત નિરીક્ષણ કરાશે. આકસ્મિક આપત્તિ સામે રૂ. 10 કરોડનો વીમો લેવાયો છે.