જામનગર શ્રાવણી મેળાની તૈયારીઓ વેગવંતી
જામનગર શ્રાવણી મેળાની તૈયારીઓ વેગવંતી
Published on: 25th August, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન ખાતે 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પરંપરાગત શ્રાવણી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્લોટ ફાળવણી અને ધંધાર્થીઓ તથા રાઈડ્સ સંચાલકો મેળા સ્થળે પહોંચી ગયા છે. મેળામાં 39 પ્લોટમાંથી મનપાને અંદાજે રૂ.1.70 કરોડની આવક થઈ છે. રાઈડ્સની સલામતી તપાસ બાદ મંજૂરી આપવામાં આવશે, જ્યારે સુરક્ષા માટે CCTV મોનિટરિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.