1.33 કરોડની છેતરપિંડીનો જામનગરનો આરોપી નવસારીથી ઝડપાયો.
1.33 કરોડની છેતરપિંડીનો જામનગરનો આરોપી નવસારીથી ઝડપાયો.
Published on: 01st June, 2026

જામનગરમાં રૂ. 1.33 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી હિતેશભાઈ લક્ષ્મીકાંત ગોહીલને પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો. આરોપીએ કાપડ વેપારી અને બેન્ક ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે ખોટી ઓળખ આપી લોકોને ઊંચા કમિશનની લાલચ આપી હતી. વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયા બાદ, પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીને શોધી કાઢ્યો. તેને જામનગર લાવી ધોરણસર અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.