સુરેન્દ્રનગર સિંધી સમાજમાં ઝુલેલાલ ગુરુદ્વારા મંદિર ટ્રસ્ટની કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી
સુરેન્દ્રનગર સિંધી સમાજમાં ઝુલેલાલ ગુરુદ્વારા મંદિર ટ્રસ્ટની કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી
Published on: 01st June, 2026

સુરેન્દ્રનગર ખાતે ઝુલેલાલ ગુરુદ્વારા મંદિર ટ્રસ્ટના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. 60 ફૂટ રોડ પર આવેલી સિંધી સમાજની વાડી ખાતે યોજાયેલી સામાન્ય સભ્યોની બેઠકમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી. ગિરીશભાઈ મગનાણી (રાજાભાઈ) પ્રમુખ, ડો. ચેતનભાઈ પિનરાણી સેક્રેટરી, ગોરધનભાઈ લાખાણી અને અશોકભાઈ તન્ના ઉપપ્રમુખ, સુનિલભાઈ હરીયાણી ખજાનચી અને અન્ય સભ્યોની પણ નિમણૂક થઈ. ઉત્સવ સમિતિની પણ રચના કરાઈ, જેમાં પ્રકાશભાઈ વરંદાણી પ્રમુખ તરીકે ચૂંટાયા.