ખેતી મદદનીશોને ગાંધીનગરને બદલે ઇ-મેઇલથી મળશે નિમણૂક પત્રો.
ખેતી મદદનીશોને ગાંધીનગરને બદલે ઇ-મેઇલથી મળશે નિમણૂક પત્રો.
Published on: 01st June, 2026

ગુજરાત સરકાર ઇંધણ બચાવવા અને ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા એક નવી પહેલ કરી રહી છે. હવે 414 ખેતી મદદનીશોને ગાંધીનગર રૂબરૂ બોલાવવાને બદલે તેમના ઇ-મેઇલ પર નિમણૂક પત્રો મોકલવામાં આવશે. અગાઉ, ઉમેદવારોને ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજીને નિમણૂક પત્રો અપાતા હતા, જેનાથી પેટ્રોલ-ડીઝલનો વ્યય થતો હતો. આ ડિજિટલ અભિગમથી સમય, નાણાં અને ઇંધણની મોટી બચત થશે. કાર્યક્રમમાં માત્ર 28 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે રૂબરૂ નિમણૂંકપત્રો મળશે, જ્યારે બાકીનાને ઘરે બેઠા ડિજિટલ પત્રો પ્રાપ્ત થશે.