શામળાજી વિસ્તારમાં મગફ્ળીના પાકને ફૂગ અને ઈયળના ઉપદ્રવથી ભારે નુકસાન
શામળાજી વિસ્તારમાં મગફ્ળીના પાકને ફૂગ અને ઈયળના ઉપદ્રવથી ભારે નુકસાન
Published on: 04th August, 2026

અરવલ્લીના શામળાજીના સુનોખ-ખિલોડા પંથકમાં સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે મગફ્ળીના પાકમાં ફૂગ અને લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. જેના કારણે મગફ્ળીના છોડ સુકાઈ રહ્યા છે અને પાંદડાને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો પાકને બચાવવા માટે જંતુનાશક અને ફૂગનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે. ખેડૂતો ઈચ્છે છે કે વરસાદ થોડો વિરામ લે અને પાકને સૂર્યપ્રકાશ મળે જેથી રોગ નિયંત્રણ થઈ શકે.