ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિરજા ગુપ્તાના કૌભાંડ મુદ્દે NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિરજા ગુપ્તાના કૌભાંડ મુદ્દે NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન.
Published on: 25th August, 2026

ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ મળેલી કરોડોની ગ્રાન્ટના દુરૂપયોગ અને પોતાના પદ સંબંધિત નિમણૂક મુદ્દે ગંભીર આરોપો થયા છે. NSUI દ્વારા આ કથિત કૌભાંડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આરોપો અનુસાર, તેમણે PMJVK પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે પોતાને નિયુક્ત કરીને દર મહિને રૂ.4.20 લાખ મેળવ્યા અને ગ્રાન્ટના ખાતામાંથી પુત્ર અક્ષત ગુપ્તાના ખાતામાં રૂ.9.84 લાખ ટ્રાન્સફર કર્યા. આ સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ ઉઠી છે.