અપશિંગે: સૈનિકોનું ગામ જ્યાં દરેક ઘરમાં છે એક વીર જવાન.
અપશિંગે: સૈનિકોનું ગામ જ્યાં દરેક ઘરમાં છે એક વીર જવાન.
Published on: 22nd May, 2026

મહારાષ્ટ્રના સાતાર જિલ્લામાં આવેલું અપશિંગે ગામ, એક અનોખું "સૈનિકોનું ગામ" છે. અહીં દરેક ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ લશ્કરમાં સેવા આપી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજના સમયથી આ પરંપરા ચાલી આવે છે, જેમાં અનેક જવાનોના પૂર્વજો પણ પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં લડી ચૂક્યા છે.