જન્માષ્ટમી પર જગત મંદિરમાં ભાવિકોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર
જન્માષ્ટમી પર જગત મંદિરમાં ભાવિકોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર
Published on: 04th September, 2026

આજે જન્માષ્ટમીના પાવન અવસરે દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં વિશેષ તૈયારીઓ સાથે ભક્તોનો અવિરત ધસારો જોવા મળ્યો. ‘જય દ્વારકાધિશ’ ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. આ ખાસ દિવસે, દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે, દ્વારકાધિશના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારની મંગળા આરતી બાદ પ્રભુની સ્નાન વિધિ (અનઘોળ) કરવામાં આવી. જન્મોત્સવની ઉજવણીને પગલે મંદિરને અદ્ભૂત શણગાર અને રોશનીથી સજાવવામાં આવ્યું છે.