કાન્હાના જન્મનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
કાન્હાના જન્મનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Published on: 04th September, 2026

જન્માષ્ટમી 2026 ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026, શુક્રવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. આ પવિત્ર તિથિએ મધ્યરાત્રિના સમયે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ વખતે ગૃહસ્થ અને વૈષ્ણવ સંપ્રદાય બંને એક જ દિવસે ઉજવણી કરશે. પૂજાનો શુભ મુહૂર્ત રાત્રે 11:05 થી 12:35 સુધી રહેશે. મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણને ચાંદીની વાંસળી અર્પણ કરી શકાય છે.