NCLT દ્વારા સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન માફ
NCLT દ્વારા સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન માફ
Published on: 28th August, 2026

ભારતીય કોર્પોરેટ જગતમાં ચર્ચાનો વિષય બનેલા એક નિર્ણયમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ એસ્સેલ ગ્રુપ અને ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રાની લગભગ 22,006 કરોડ રૂપિયાની દેવાદારીને સેટલ કરવા માટે 6.5 કરોડ રૂપિયાના રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે. આ નિર્ણય નાણાકીય લેણદારો માટે મોટું નુકસાન સૂચવે છે. NCLT એક અર્ધ-ન્યાયિક સંસ્થા છે જે કંપની અધિનિયમ, 2013 હેઠળ સ્થાપવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ કંપનીઓ સંબંધિત વિવાદોનો ઝડપી નિકાલ કરવાનો છે.