જામનગરમાં વ્યાજખોરોનો ત્રાસ: 153 કરોડની મિલકતો પચાવી પાડતાં બિલ્ડરનો આપઘાત
જામનગરમાં વ્યાજખોરોનો ત્રાસ: 153 કરોડની મિલકતો પચાવી પાડતાં બિલ્ડરનો આપઘાત
Published on: 29th August, 2026

જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. પરિવારના આરોપ મુજબ, 11 વ્યાજખોરોએ 153 કરોડની 28 મિલકતો દસ્તાવેજો પરત ન કરીને તેમને માનસિક ત્રાસ આપીને આપઘાત માટે મજબૂર કર્યા હતા. મૃતકના પુત્રે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે 11 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાણાં અને વ્યાજ ચૂકવ્યા છતાં વધુ માંગણી અને ધાકધમકીથી કંટાળીને બિલ્ડરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું.