દેશની 1 લાખથી વધુ શાળાઓમાં એક જ શિક્ષક!
UDISE Report 2025-26 મુજબ, દેશમાં 1,00,843 થી વધુ શાળાઓ માત્ર એક શિક્ષક પર નિર્ભર છે. આ ગંભીર સમસ્યામાં આંધ્ર પ્રદેશ સૌથી આગળ છે, જ્યાં 16,357 શાળાઓમાં એક જ શિક્ષક છે. દેશની લગભગ 65% 'સિન્ગલ-ટીચર' શાળાઓ માત્ર 7 રાજ્યોમાં આવેલી છે, જેમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે કેરળ, નાગાલેન્ડ, સિક્કિમ, દિલ્હી જેવા રાજ્યોમાં સ્થિતિ ઘણી સારી છે. વાસ્તવિકતા કાગળ પરના આંકડાઓ કરતા ઘણી અલગ છે.
દેશની 1 લાખથી વધુ શાળાઓમાં એક જ શિક્ષક!
ગુજરાતમાં 'રિઝર્વેશન હટાવો' કેમ્પેઇનની અસર: સમાજમાં મતભેદ, RSS-ભાજપ પર આરોપ
દેશભરમાં 'રિઝર્વેશન હટાવો આંદોલન' (RHA) ને વેગ મળ્યો છે, જેની અસર હવે ગુજરાતમાં દેખાઈ રહી છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનો સમીક્ષા અને જરૂરિયાતમંદોને લાભ આપવાની હિમાયત કરે છે. બીજી તરફ, આદિવાસી અને ઠાકોર સમાજના નેતાઓ હાલની અનામત વ્યવસ્થા યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે. ઠાકોર સમાજના નેતા બળદેવજી ઠાકોરે આ ઝુંબેશ RSS અને ભાજપના દોરીસંચારમાં ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે.
ગુજરાતમાં 'રિઝર્વેશન હટાવો' કેમ્પેઇનની અસર: સમાજમાં મતભેદ, RSS-ભાજપ પર આરોપ
અમદાવાદમાં આકાર પામી રહ્યું છે અદ્યતન ફાઇવ સ્ટાર ટ્રેનિંગ સેન્ટર, સુવિધાઓ અજોડ
અમદાવાદમાં જેલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક અત્યાધુનિક સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ ચાલી રહ્યું છે. આ સેન્ટરમાં VIP રૂમ, ઓલિમ્પિક સ્વિમિંગ પુલ, વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને હાઇ સિક્યોરિટી સેલ જેવી અદ્યતન સુવિધાઓ હશે. 250 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સંકુલ પોલીસ અને જેલ સિપાહીઓ માટે તાલીમનું મુખ્ય કેન્દ્ર બનશે. 60 એકર જમીન પર ત્રણ તબક્કામાં નિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટમાં વિશાળ પરેડ ગ્રાઉન્ડ, એથ્લેટિક્સ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ અને હોસ્ટેલની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.
અમદાવાદમાં આકાર પામી રહ્યું છે અદ્યતન ફાઇવ સ્ટાર ટ્રેનિંગ સેન્ટર, સુવિધાઓ અજોડ
નસવાડી સરકારી બી.એડ. કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ગુરુ-શિષ્ય પરંપરાને સલામી
નસવાડી સ્થિત સરકારી બી.એડ. કોલેજમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ આનંદ અને ઉમંગભેર ઉજવાયો. કોલેજના આચાર્ય, અધ્યાપકો અને તાલીમાર્થીઓએ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વને દર્શાવતા કાર્યક્રમોમાં ભાગ લીધો. દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદનાથી શરૂઆત થઈ, ત્યારબાદ તાલીમાર્થીઓએ ગુરુ મહિમા ગાન, પ્રાસંગિક પ્રવચનો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. આચાર્યએ આધુનિક યુગમાં પણ ગુરુના અદ્વિતીય સ્થાન પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું.
નસવાડી સરકારી બી.એડ. કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ગુરુ-શિષ્ય પરંપરાને સલામી
છોટાઉદેપુર: કુકરદા ગામે માર્ગ સ્ટ્રક્ચર માટે SVNIT ની ટીમનું મહત્વપૂર્ણ સ્થળ નિરીક્ષણ.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ફેઝ-4 હેઠળ છોટાઉદેપુરના કુકરદા ગામમાં માર્ગ સ્ટ્રક્ચરના નિર્માણ માટે SVNIT, સુરતની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણમાં ખોહરી ફળિયા, બોર ડાબરા ફળિયા અને વાકી કડવ ફળિયા તરફ જતા માર્ગો પર જરૂરી પુલ અને કલ્વર્ટ જેવા સ્ટ્રક્ચરની જરૂરિયાતોનું ટેકનિકલ મૂલ્યાંકન કરાયું. ભૌગોલિક સ્થિતિ અને વરસાદી પાણીના વહેણને ધ્યાનમાં રાખીને રૂપરેખા તૈયાર કરાશે. ત્યારબાદ ડ્રોઈંગ, Estimate, અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં માર્ગ નિર્માણ શરૂ થશે, જે ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા હલ કરશે.
છોટાઉદેપુર: કુકરદા ગામે માર્ગ સ્ટ્રક્ચર માટે SVNIT ની ટીમનું મહત્વપૂર્ણ સ્થળ નિરીક્ષણ.
પંચમહાલ: મોટા વાજપુરા ગામમાં બાળકીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પૂરાયો
બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની બાળકી ભવ્યાને મોતને ઘાટ ઉતારનાર આદમખોર દીપડાને વન વિભાગે ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક પકડી પાડ્યો. આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી. વનવિભાગની ટીમે ઘટના સ્થળ નજીક રાત્રિના સમયે પાંજરું ગોઠવી દીપડા પર સતત નજર રાખી હતી. દીપડો પકડાયા બાદ ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઊમટ્યા હતા અને વનવિભાગે તેને વધુ કાર્યવાહી માટે જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડ્યો.
પંચમહાલ: મોટા વાજપુરા ગામમાં બાળકીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પૂરાયો
ડભોઇ પાલિકા દ્વારા જર્જરિત મકાનોના 40 મિલકત ધારકોને તાત્કાલિક નોટિસ
ડભોઇ નગરપાલિકા દ્વારા બંગાળની ખાડીમાં થયેલા ડીપ ડિપ્રેશનને કારણે ભારે વરસાદની આગાહીના પગલે જર્જરિત અને ભયગ્રસ્ત મકાનોમાં રહેતા 40 મિલકત ધારકોને તાત્કાલિક મકાનો ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે. ચીફ ઓફિસર જયકિશન તડવી અને મહેશભાઈ પરમારની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ નોટિસની કામગીરી હાથ ધરાઈ છે. આગાહી મુજબ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી, નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકોને સાવચેત કરવા રિક્ષા દ્વારા પ્રચાર પણ શરૂ કરાયો છે.
ડભોઇ પાલિકા દ્વારા જર્જરિત મકાનોના 40 મિલકત ધારકોને તાત્કાલિક નોટિસ
ડભોઇના સરિતા રેલવે બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત, ટ્રાફ્કિ જામ
ડભોઇના સરિતા રેલવે ઓવરબ્રિજ પર બે કાર વચ્ચે સામસામે અકસ્માત થતાં એક તરફનો બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. સમારકામ હેઠળ હોવાથી એક જ બ્રિજ પર ટ્રાફ્કિ ડાયવર્ટ કરાયો હતો. આ અકસ્માતને કારણે કલાકો સુધી ભારે ટ્રાફ્કિ જામ સર્જાયો હતો, જેમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ મહત્વપૂર્ણ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અનેક પ્રવાસન સ્થળો તરફ દોરી જાય છે, જેથી પ્રવાસીઓને પણ હાલાકી પડી રહી છે.
ડભોઇના સરિતા રેલવે બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત, ટ્રાફ્કિ જામ
મહીસાગરમાં કોઠંબા નવીન તાલુકા જાહેર થતાં ટ્રાફિક સમસ્યા વકરી
મહીસાગર જિલ્લાના કોઠંબાને નવીન તાલુકા જાહેર કરાયા બાદ અહીં લોકોની અવરજવર વધી છે, જેના પરિણામે કોઠંબા પોલીસ સ્ટેશન ચોકડીથી અજયમાતા મંદિર સુધી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી વાહનોની લાંબી કતારો લાગે છે. સાંકડી જગ્યા અને ગેરકાયદેસર પાર્કિંગને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. શાળા, કોલેજ અને બજારના સમયે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકી પડે છે. લોકો ટ્રાફિક નિયમન માટે પોલીસ કર્મચારીઓની કાયમી નિમણૂક અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.
મહીસાગરમાં કોઠંબા નવીન તાલુકા જાહેર થતાં ટ્રાફિક સમસ્યા વકરી
Godhra: ગૌરી વ્રત નિમિત્તે ગોધરા પાલિકા દ્વારા અટલ ઉદ્યાનમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ગોધરા : શહેરમાં પવિત્ર ગૌરીવ્રત પર્વ નિમિતે ગોધરા શહેરના મધ્યમાં આવેલા અટલ ઉદ્યાન ખાતે આ વર્ષે નગર પાલિકાના સત્તાધીશો પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તેમજ તમામ સભ્યો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શહેરની કુંવારિકાઓ બાળાઓ અને તેમના પરિવારજનોએે લાઈવ સિંગિંગ, રાસ અને ગરબા, વિવિધ રમતો અને સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતાઓ માટે આકર્ષક ઇનામો, નાની બાળાઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. જાગરણના દિવસે LED સાથે વિશેષ કાર્યક્રમ યોજાનાર છે.
Godhra: ગૌરી વ્રત નિમિત્તે ગોધરા પાલિકા દ્વારા અટલ ઉદ્યાનમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
Panchmahal: ગૌરીવ્રત નિમિત્તે ગોકળપુરા પ્રાથમિક શાળામાં કન્યાઓને શ્રુંગાર કિટનું વિતરણ
કાલોલ : કાલોલ તાલુકાની ગોકળપુરા પ્રાથમિક શાળા ખાતે ગૌરી વ્રતના અવસરે કન્યાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સેવા ગ્રુપ, સન ફર્મા, હાલોલ તરફથી મયંક ભગત તથા પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શેફલીબેન ઉપાધ્યાયના સહયોગથી બાળાઓને શ્રુંગાર કિટનું વિતરણ કરાયું હતું.
Panchmahal: ગૌરીવ્રત નિમિત્તે ગોકળપુરા પ્રાથમિક શાળામાં કન્યાઓને શ્રુંગાર કિટનું વિતરણ
દેશના નુકસાન માટે ‘ગુપ્ત યુદ્ધ’: મુખ્યમંત્રી ફડણવીસની ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ અભિયાનની શરૂઆત
દેશના વિકાસને અવરોધવા દુશ્મનો ‘ગુપ્ત યુદ્ધ’ ચલાવી રહ્યા છે, જેમાં ડ્રગ્સ મુખ્ય શસ્ત્ર છે. યુવા પેઢીને નિશાન બનાવી દેશને અંદરથી નબળો પાડવાના આ ષડયંત્ર સામે ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ અભિયાન શરૂ કરાયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોને આ સામૂહિક લડાઈમાં જોડાવા અપીલ કરી. આ માટે સમગ્ર ‘ઇકોસિસ્ટમ’નો નાશ કરવો જરૂરી છે. પોલીસ, શિક્ષણ, આરોગ્ય જેવા વિભાગો સાથે મળીને કામ કરશે. ડ્રગ્સ વેચનારા અને માસ્ટરમાઇન્ડ સામે કડક કાર્યવાહી થશે. યુવાનોના ‘ના’ કહેવાના સંકલ્પથી ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ શક્ય બનશે.
દેશના નુકસાન માટે ‘ગુપ્ત યુદ્ધ’: મુખ્યમંત્રી ફડણવીસની ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ અભિયાનની શરૂઆત
Panchmahal: કાલોલની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગૌરીવ્રત નિમિતે ડ્રાયફ્રૂટનું વિતરણ
કાલોલ : કાલોલના શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગૌરીવ્રત નિમિતે ડેરોલ સ્ટેશન રોટરી ક્લબ દ્વારા ડ્રાયફ્રુટ અને એજ્યુકેશન કીટનું વિતરણ કુમારિકાઓને કરાયું હતું. આ પ્રસંગે ડેરોલ સ્ટેશન રોટરી ક્લબના પ્રમુખ ચિરાગ વ્યાસ, મંત્રી દક્ષેશ બ્રહ્મભટ્ટ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગૌરી વ્રત નિમિતે મહેંદી હરીફાઈ અને કેશ ગૂંથણ જેવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. આચાર્ય રિતેશભાઈ પંડયાએ આભાર વિધી કરી હતી.
Panchmahal: કાલોલની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગૌરીવ્રત નિમિતે ડ્રાયફ્રૂટનું વિતરણ
ગોધરાની સાંદિપની વિદ્યામંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી: આચાર્યનું સન્માન
ગોધરામાં સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાંદિપની વિદ્યામંદિર અને નર્સિંગ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ટ્રસ્ટ પ્રમુખ દિલીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, સરસ્વતી પૂજન, રંગોળી અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ. આ પ્રસંગે, સેવા નિવૃત્ત થઈ રહેલા આચાર્ય ભરતભાઈ ઉપાધ્યાયને શાલ, શ્રીફળ અને મોમેન્ટો આપી ભાવભીની વિદાય આપવામાં આવી. આચાર્ય વિપુલભાઈ શાહે આભારવિધિ કરી.
ગોધરાની સાંદિપની વિદ્યામંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી: આચાર્યનું સન્માન
Godhra: દયાળ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબૂક વિતરણ
ગોધરા : ગુરુ પૂર્ણિમા નિમિત્તે આદિવાસી વિકાસ ફઉન્ડેશન ગોધરા દ્વારા દયાળ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબૂક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી વિકાસ ફઉન્ડેશનના સભ્યો એમ.એમ. પારગી, દેવજીભાઈ ડામોર, સુરેશભાઈ કલારા, તુષારભગોરાએ હાજર રહી બાળકોને નોટબુક, પેન, પેન્સિલ અને કેળાંના પ્રસાદનું વિતરણ કર્યું હતું.
Godhra: દયાળ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબૂક વિતરણ
પાલનપુરમાં 48 વખત મત આપનાર 102 વર્ષના મેરૂમાનું નિધન: પ્રેરણારૂપ જીવન
પાલનપુર શહેરમાં 48 વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર 102 વર્ષીય મહેરૂનીશા મસીઉદ્દીન કાદરી (મેરૂમા) નું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના વતની હતા અને વ્યવસાય અર્થે પાલનપુરમાં સ્થાયી થયા હતા. તેમણે ટાયર પંચરની દુકાન શરૂ કરીને હિન્દુ પરિવારો સાથે એક મકાનમાં રહી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના પુત્ર સિતાબભાઈ કાદરીએ જણાવ્યું કે, તેમણે નગરપાલિકા, વિધાનસભા અને લોકસભા સહિત અનેક ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું.
પાલનપુરમાં 48 વખત મત આપનાર 102 વર્ષના મેરૂમાનું નિધન: પ્રેરણારૂપ જીવન
એમપી શાહ કોલેજ ગ્રાઉન્ડમાં મેળા સામે HCમાં પિટિશનની ચીમકી, સિનિયર સિટિઝનો-વિદ્યાર્થીઓમાં અસંતોષ
સુરેન્દ્રનગર સ્થિત એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં શ્રાવણી સાતમ-આઠમનો લોકમેળો યોજાવાની શક્યતાને પગલે સિનિયર સિટિઝનો અને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ છે. મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી મેળાને અન્ય સ્થળે ખસેડવાની ઉગ્ર રજૂઆત કરાઈ છે. કોલેજમાં 2500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, NCC બટાલીયન અને હોસ્ટેલ પણ છે. સિનિયર સિટિઝનો, પોલીસ અને GPSC પરીક્ષાના ઉમેદવારો પણ આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે. મેળાથી થતી ગંદકી અને તોડફોડ શિક્ષણ તથા જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો નિર્ણય નહીં બદલાય તો હાઈકોર્ટમાં પિટિશન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
એમપી શાહ કોલેજ ગ્રાઉન્ડમાં મેળા સામે HCમાં પિટિશનની ચીમકી, સિનિયર સિટિઝનો-વિદ્યાર્થીઓમાં અસંતોષ
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ: 35 શ્રેષ્ઠ શિક્ષકો અને 5 મહાનુભાવોનું સન્માન
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો, જેમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા 5 મહાનુભાવો અને ગુજરાતના 35 જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ શિક્ષકો તથા આચાર્યોનું ભાવપૂજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને વૈદિક સૂક્ત પાઠથી થયો. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. રતિલાલ બોરીસાગરને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિત વિવિધ પુરસ્કારો અર્પણ કરાયા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં ગુરુનું કાર્ય ચારિત્ર્ય નિર્માણ અને લક્ષ્ય નિર્ધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ: 35 શ્રેષ્ઠ શિક્ષકો અને 5 મહાનુભાવોનું સન્માન
સુરક્ષાના નિયમોનો ભંગ: પોરબંદરની સ્કૂલ પાસે સ્પીડબેકર અને ઝેબ્રા ક્રોસિંગનો અભાવ.
પોરબંદરથી માધવપુર હાઈવે પર કમલાબાગથી છાંયા ચોકી સુધીની રોડ પર સ્પીડબેકર અને ઝેબ્રા ક્રોસિંગ નથી. આ મુખ્ય માર્ગ પર સરકારી એમ.કે. ગાંધી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ આવેલી છે, જ્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સતત વાહનોના ટ્રાફિક અને સ્કૂલના સમય દરમિયાન ધસારાને કારણે અકસ્માતનો ભય રહે છે. સુપ્રીમ કોર્ટ અને IRC ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હેવી વાહનો અને ઓવરસ્પીડિંગથી બાળકોની સુરક્ષા જોખમાઈ રહી છે.
સુરક્ષાના નિયમોનો ભંગ: પોરબંદરની સ્કૂલ પાસે સ્પીડબેકર અને ઝેબ્રા ક્રોસિંગનો અભાવ.
મોરબી: વાવડી રોડ પર સફાઈના નામે વેઠ, કચરાના ગંજ અને ગંદકીનો ભય
મોરબીના વાવડી રોડ પર મનપાની સફાઈ કામગીરી નબળી હોવાથી ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. હજારો વાહનો અને મધ્યમવર્ગીય સોસાયટીઓના કેન્દ્ર સમાન આ રોડની બંને બાજુએ કચરાના વિશાળ ઢગલા ખડકાયા છે. અગાઉ મૂકેલી કચરા ટોપલીઓ પણ ભંગાર હાલતમાં છે અને કચરો રોડ પર વેરવિખેર પડ્યો છે. નાલામાં પણ કચરો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ચોમાસાને કારણે રોગચાળો ફાટી નીકળવાનું જોખમ છે, છતાં મનપા તંત્રની બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ છે.
મોરબી: વાવડી રોડ પર સફાઈના નામે વેઠ, કચરાના ગંજ અને ગંદકીનો ભય
અમદાવાદ પર ડીપ ડિપ્રેશનનો ખતરો: પાણી ભરાતું અટકાવવા તળાવો ખાલી કરાયા
અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે કોર્પોરેશન દ્વારા તંત્રને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે અમદાવાદ ડીપ ડિપ્રેશનનું કેન્દ્ર બની શકે છે, તેથી તમામ વિભાગોને પૂર્વ તૈયારીઓના આદેશ અપાયા છે. નાગરિકોને જરૂરી ન હોય તો બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાબરમતી રિવરફ્રન્ટનું પાણી ઘટાડી લેવલ 123 ફૂટ સુધી લવાયું છે અને 5 તળાવો ઇન્ટરલિંકિંગ દ્વારા ખાલી કરવાનું શરૂ કરાયું છે.
અમદાવાદ પર ડીપ ડિપ્રેશનનો ખતરો: પાણી ભરાતું અટકાવવા તળાવો ખાલી કરાયા
દાહોદ: દેવગઢબારીઆ નગરપાલિકા પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપને બે-બે બેઠકો મળી
દાહોદ જિલ્લાની દેવગઢબારીઆ નગરપાલિકાની છ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં વર્તમાન સત્તાધિશ ભાજપને માત્ર બે બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે. જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેએ બે-બે બેઠકો જીતીને પોતાની તાકાત દર્શાવી છે. વોર્ડ નં -1, 4 અને 5માં થયેલા મતદાનમાં મતદારોએ વિવિધ ઉમેદવારોને પસંદ કર્યા હતા. ખાસ કરીને, વોર્ડ પાંચના મહિલા ઉમેદવાર લક્ષ્મીબેન મુકેશભાઈ હરિજનની જીતથી વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
દાહોદ: દેવગઢબારીઆ નગરપાલિકા પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપને બે-બે બેઠકો મળી
ભરૂચના દયાદરા ગામે ચકલીઓના શંકાસ્પદ મૃત્યુથી સ્થાનિકોમાં ચકચાર, પ્રદૂષણની આશંકા
ભરૂચ તાલુકાના દયાદરા ગામની સાબરી કોલોનીમાં અનેક ચકલીઓ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ચકલીઓના ચણમાં ઝેર ભેળવવામાં આવ્યું છે કે પ્રદૂષણની અસર છે તે સ્પષ્ટ નથી. સ્થાનિકોએ તાત્કાલિક તપાસની અને કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વિલાયત GIDCના પ્રદૂષણની આશંકા પ્રબળ બની રહી છે. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી નાગરિકોની માંગ છે.
ભરૂચના દયાદરા ગામે ચકલીઓના શંકાસ્પદ મૃત્યુથી સ્થાનિકોમાં ચકચાર, પ્રદૂષણની આશંકા
સ્ત્રીમિત્રતા, પાલતુ પ્રેમ અને બાળપણની યાદો: મિત્રતા પર આધારિત ગુજરાતી ફિલ્મો
પ્રસ્તુત છે મિત્રતાના વિવિધ પાસાઓને ઉજાગર કરતી કેટલીક યાદગાર ગુજરાતી ફિલ્મો. `ઓલ વી ઇમેજિન એઝલાઇટ (2024)` સ્ત્રીમિત્રતાની સુંદરતા દર્શાવે છે, જ્યારે `ધ ફ્રેન્ડ (2025)` એક વ્યક્તિ અને તેના પાલતુ પ્રાણી વચ્ચેના અણધાર્યા બંધનની કહાણી કહે છે. `તૂ હૈ મેરા સન્ડે` આધુનિક જીવનમાં મિત્રતાની ઝલક આપે છે, જ્યારે `પુરાની જીન્સ` બાળપણની મિત્રતા અને જૂના સંબંધોનું મહત્વ સમજાવે છે. `સુપર બોય્સ ઓફ માલેગાંવ` મિત્રતાની કસોટી અને ફિલ્મ નિર્માણની સફર દર્શાવે છે.
સ્ત્રીમિત્રતા, પાલતુ પ્રેમ અને બાળપણની યાદો: મિત્રતા પર આધારિત ગુજરાતી ફિલ્મો
215 કુલપતિઓએ પ્રિયંકાને લખ્યો પત્ર: શિક્ષણવિદોની ગરિમા અને મતભેદ પર મહત્વનો સંદેશ
IIT મદ્રાસના ડાયરેક્ટર પ્રો. વી. કામકોટીને ગૌમૂત્ર નિષ્ણાત કહેવા બદલ દેશભરના 215 કુલપતિઓ અને શિક્ષણવિદોએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે શિક્ષણવિદો પર જાહેરમાં ટિપ્પણી કરતી વખતે તથ્યો અને વ્યક્તિની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. મતભેદ હોઈ શકે છે, પરંતુ મજાક ઉડાવવી યોગ્ય નથી. આ વિવાદ એન્ટી પેપર લીક બિલ પર થયેલી લોકસભા ચર્ચા દરમિયાન પ્રિયંકાના નિવેદનથી શરૂ થયો હતો. તેમણે નવી કમિટીમાં ગૌમૂત્ર નિષ્ણાતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
215 કુલપતિઓએ પ્રિયંકાને લખ્યો પત્ર: શિક્ષણવિદોની ગરિમા અને મતભેદ પર મહત્વનો સંદેશ
ગુરુપૂર્ણિમા પછી પણ ગુરુઓ પૂર્ણ બન્યા? શિક્ષણજગતનો સવાલ
ગુરુપૂર્ણિમાની ઉજવણી બાદ પણ શું શિક્ષકો ખરા અર્થમાં ગુરુ બની શક્યા છે? આ પ્રશ્ન શિક્ષણજગતને સતાવી રહ્યો છે. શિક્ષક જ્ઞાન આપે છે, પણ ગુરુ જીવનને દિશા આપે છે. ઘણા શિક્ષકોમાં વાંચનની ભૂખ ઓછી થઈ છે, ટેક્નોલોજીથી ડરે છે અને શિક્ષણ સિવાય અન્ય વ્યવસાયોમાં વધુ ધ્યાન આપે છે. સ્ટાફરૂમમાં જૂથવાદ, ઈર્ષા અને રાજકારણ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર કરી રહ્યા છે. આત્મમંથન અને નિષ્ઠા દ્વારા ગુરુત્વ જાળવવાની જરૂર છે, જેથી આગામી પેઢી ગુરુત્વથી ઘડાઈ શકે.
ગુરુપૂર્ણિમા પછી પણ ગુરુઓ પૂર્ણ બન્યા? શિક્ષણજગતનો સવાલ
ગુજરાતના ૧૩ જિલ્લામાં રેડ એલર્ટ: ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કોલેજોમાં રજા
હવામાન વિભાગે 31 જુલાઈએ રાજ્યના 13 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધશે.
ગુજરાતના ૧૩ જિલ્લામાં રેડ એલર્ટ: ભારે વરસાદની આગાહી, સ્કૂલ-કોલેજોમાં રજા
માંજલપુર પેટાચૂંટણીમાં મારામારી અને આચાર સંહિતા ભંગ વચ્ચે માત્ર ૩૭.૫૦% મતદાન
વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અનેક સ્થળોએ મારામારી, ઉગ્ર બોલાચાલી અને આચાર સંહિતાના ભંગની ફરિયાદો વચ્ચે મતદાન પૂર્ણ થયું. સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૩૭.૫૦% મતદાન નોંધાયું, જે ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી થયેલી બેઠક માટે યોજાયું હતું. ૨૬૦ મતદાન મથકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, પરંતુ ૧૧ વાગ્યા સુધી માત્ર ૧૪% મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાયા હતાં. ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઇ રબારીના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે.
માંજલપુર પેટાચૂંટણીમાં મારામારી અને આચાર સંહિતા ભંગ વચ્ચે માત્ર ૩૭.૫૦% મતદાન
ભારે વરસાદની આગાહીન લિધે અધિકારીઓની રજાઓ રદ
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની 'રેડ એલર્ટ'ની આગાહી કરવામાં આવી છે. આ ભયાવહ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. સમગ્ર તંત્રને 24 કલાક હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને NDRF-SDRFની ટીમો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીન લિધે અધિકારીઓની રજાઓ રદ
ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાત પોલીસ હાઇ ઍલર્ટ પર
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ જાનમાલના રક્ષણ માટે વ્યાપક તૈયારીઓ સાથે હાઇ ઍલર્ટ પર છે. રાજ્યના પોલીસ વડાએ ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજી તમામ અધિકારીઓને સતર્ક રહેવાની સૂચના આપી છે. 'ઇવેક્યુએશન પ્લાન' અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં NDRF, SDRF અને સ્થાનિક પોલીસ સંકલનમાં કામ કરશે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકો અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે મળીને કામગીરી હાથ ધરાઈ છે.
ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાત પોલીસ હાઇ ઍલર્ટ પર
મહેસૂલ વિભાગ વર્ગ-૩ કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલી હવે કલેક્ટર કરશે
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કરવાની સત્તા સંબંધિત જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. આ નિર્ણય અરજદારોના કામો સરળતાથી અને ઝડપથી થાય તે માટે લેવાયો છે. અગાઉ કલેક્ટરને માત્ર નાયબ મામલતદાર, કારકૂન અને તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ વિસ્તૃત સત્તા હેઠળ સબ રજીસ્ટ્રાર, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકૂન જેવા કર્મચારીઓની જિલ્લા કક્ષાએ બદલી કરી શકાશે. આ બદલીઓ સંબંધિત ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે.