મહીસાગરમાં કોઠંબા નવીન તાલુકા જાહેર થતાં ટ્રાફિક સમસ્યા વકરી
મહીસાગરમાં કોઠંબા નવીન તાલુકા જાહેર થતાં ટ્રાફિક સમસ્યા વકરી
Published on: 31st July, 2026

મહીસાગર જિલ્લાના કોઠંબાને નવીન તાલુકા જાહેર કરાયા બાદ અહીં લોકોની અવરજવર વધી છે, જેના પરિણામે કોઠંબા પોલીસ સ્ટેશન ચોકડીથી અજયમાતા મંદિર સુધી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી વાહનોની લાંબી કતારો લાગે છે. સાંકડી જગ્યા અને ગેરકાયદેસર પાર્કિંગને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. શાળા, કોલેજ અને બજારના સમયે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકી પડે છે. લોકો ટ્રાફિક નિયમન માટે પોલીસ કર્મચારીઓની કાયમી નિમણૂક અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.