અમરેલીના ચાંપથળ ગામમાં શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરી
અમરેલીના ચાંપથળ ગામમાં શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરી
Published on: 25th August, 2026

અમરેલીના ચાંપથળ ગામે શેત્રુંજી નદીમાંથી મોટા પાયે થતી ગેરકાયદે રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. જવાબદાર તંત્ર દ્વારા પગલાં ન લેવાતા ગ્રામજનો કંટાળ્યા છે. તેઓએ અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. આ ગેરકાયદે ખનનને કારણે પર્યાવરણ, નદીના નિવસનતંત્રને નુકસાન અને રસ્તાઓની બિસ્માર સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ 7 દિવસમાં કાર્યવાહી નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.