જ્યાં પર્યાવરણના પાઠ ભણાવે, ત્યાં વિશ્વામિત્રીમાં કાટમાળ
જ્યાં પર્યાવરણના પાઠ ભણાવે, ત્યાં વિશ્વામિત્રીમાં કાટમાળ
Published on: 25th August, 2026

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સતત કાટમાળ અને કચરો ઠાલવવાની ઘટનાઓ સામે આવી રહી છે. સામાન્ય દંડની કાર્યવાહીથી બેફામ બનેલા તત્વો નદી અને નાળાઓમાં ગેરકાયદેસર રીતે કચરો ઠાલવી રહ્યા છે, જેના કારણે નદીના કુદરતી વહેણને અવરોધ ઉભો થયો છે. આ પરિસ્થિતિ ચોમાસા દરમિયાન શહેરમાં પૂરના જોખમને વધારી રહી છે. એમ.એસ.યુનિવર્સિટી નજીક અને ભીમનાથ બ્રિજ પાસે પણ આવી ઘટનાઓ નોંધાઈ છે. અસરકારક કાર્યવાહીના અભાવે આવા કૃત્યો ચાલુ રહેતા, પર્યાવરણ સંરક્ષણના દાવાઓ પર સવાલો ઉભા થાય છે.