સુરતની રિયલ જરદોશી ચાંદીની રાખડી અયોધ્યા રામલલાના કાંડે શોભશે
સુરતની રિયલ જરદોશી ચાંદીની રાખડી અયોધ્યા રામલલાના કાંડે શોભશે
Published on: 25th August, 2026

સુરત, જે તેની કારીગરી અને 'રીયલ જરી ઉદ્યોગ' માટે પ્રખ્યાત છે, તેણે રક્ષાબંધન નિમિત્તે અયોધ્યામાં બિરાજમાન રામલલા માટે એક અદ્ભુત રાખડી તૈયાર કરી છે. આ રાખડી સુરતના લોકોની શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. 'ધ જરી મેન્યુફેક્ચર એસોસિએશન' દ્વારા તૈયાર કરાયેલી આ રાખડીમાં અસલ ચાંદીના રિયલ જરદોશી તારનો ઉપયોગ થયો છે, જેમાં સુરતની કુશળ કારીગર બહેનોએ પ્રેમ અને દિવસોની મહેનત પરોવી છે. આ કલાકૃતિ સુરતી સંસ્કાર અને હસ્તકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે, જે સુરતના જરી ઉદ્યોગ માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી છે.