વલસાડમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ'નો પ્રારંભ
વલસાડમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ'નો પ્રારંભ
Published on: 25th August, 2026

વલસાડ જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓમાં રસ-ગૌરવ વિકસાવવાના હેતુસર 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ'નો 25મી ઓગસ્ટથી પ્રારંભ થયો. વેદ મંત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીથી શરૂ થયેલી સંસ્કૃત ગૌરવ યાત્રાએ શહેરના માર્ગો પર 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારા સાથે આગળ વધી. યાત્રામાં 1000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ તથા ઋષિ-મુનિઓના વેશમાં વિદ્યાર્થીઓએ યજ્ઞ કર્યો. વેદ, ઉપનિષદ અને રામાયણની પ્રતિકૃતિઓ, તેમજ રામ, સીતા, લક્ષ્મણના વેશમાં વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા.