સાબરકાંઠાના ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત
સાબરકાંઠાના ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત
Published on: 25th August, 2026

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ ઘટના 24મી ઓગસ્ટની સાંજે બની હતી, જેમાં ઉંબોરા ગામના 24 વર્ષીય દિનેશ પરમાર અને 25 વર્ષીય રાહુલ પરમાર નદીમાં નહાવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ બાદ 25મી ઓગસ્ટે બંને યુવકોના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.