બોડેલી રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી, ટ્રાફિક જામ સર્જાયો
બોડેલી રેલવે ફાટકમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે ગુરુવારે બંને તરફ ટ્રાફિક જામ થયો હતો. ટ્રેન પસાર થયા બાદ એક તરફનો ગેટ ઊંચો ન થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી, જેનાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. રેલવે કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જાતે ગેટ ઊંચો કરીને ફાટક ખોલ્યો હતો. સમયસર ખામી દૂર થતાં વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો અને સંભવિત અકસ્માત ટળી ગયો હતો.
બોડેલી રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી, ટ્રાફિક જામ સર્જાયો
આગામી ત્રણ દિવસ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે આગામી ત્રણ દિવસ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૨૪ કલાક કંટ્રોલ રૃમ કાર્યરત કરાયો છે અને તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ્દ કરી હેડક્વાર્ટર પર હાજર રહેવા આદેશ અપાયો છે. એક સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ તહેનાત કરાઈ છે. લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા, અને કંટ્રોલ રૃમનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
આગામી ત્રણ દિવસ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
વોટ્સએપ APK ફાઈલ ડાઉનલોડ કરતા આધેડના ક્રેડિટકાર્ડમાંથી ₹૭૪,૧૮૯ ઉપડી ગયા
ભાવનગરના બોરડીગેટ વિસ્તારના એક આધેડ સાથે ક્રેડિટકાર્ડના વિમા અંગે ફોન પર વાતચીત દરમિયાન, વોટ્સએપ પર આવેલી એક APK ફાઈલ ડાઉનલોડ કરતા તેમના ક્રેડિટકાર્ડમાંથી કટકે-કટકે કુલ ₹૭૪,૧૮૯ની રકમ ઉપડી ગઈ. આ અંગે આધેડે ઘોઘારોડ પોલીસ મથકમાં મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે, જે આ પ્રકારના સાયબર ફ્રોડ અંગે લોકોને સતર્ક રહેવાની જરૂરિયાત દર્શાવે છે.
વોટ્સએપ APK ફાઈલ ડાઉનલોડ કરતા આધેડના ક્રેડિટકાર્ડમાંથી ₹૭૪,૧૮૯ ઉપડી ગયા
અમદાવાદ પ્લેન ક્રેશ: 412 દિવસ પછી સરકારનો ખુલાસો
અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાના 412 દિવસ બાદ સરકારે સંસદમાં ખુલાસો કર્યો કે બોઈંગ ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ સ્વિચમાં કોઈ ખામી નથી. જોકે, પાયલટ સુમિત સભરવાલના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મંત્રીના સ્ટેટમેન્ટ અને AAIB રિપોર્ટ વચ્ચેની અલગ થિયરી, રેમ એર ટર્બાઈન અને ફાઇનલ રિપોર્ટમાં વિલંબના કારણો પર ચર્ચા થઈ. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રિપોર્ટ સોંપવાની શક્યતા છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: 412 દિવસ પછી સરકારનો ખુલાસો
ગુજરાતમાં 'રિઝર્વેશન હટાવો' કેમ્પેઇનની અસર
દેશભરમાં 'રિઝર્વેશન હટાવો આંદોલન' (RHA) ને વેગ મળ્યો છે, જેની અસર હવે ગુજરાતમાં દેખાઈ રહી છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનો સમીક્ષા અને જરૂરિયાતમંદોને લાભ આપવાની હિમાયત કરે છે. બીજી તરફ, આદિવાસી અને ઠાકોર સમાજના નેતાઓ હાલની અનામત વ્યવસ્થા યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે. ઠાકોર સમાજના નેતા બળદેવજી ઠાકોરે આ ઝુંબેશ RSS અને ભાજપના દોરીસંચારમાં ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે.
ગુજરાતમાં 'રિઝર્વેશન હટાવો' કેમ્પેઇનની અસર
અમદાવાદમાં આકાર પામી રહ્યું છે અદ્યતન ફાઇવ સ્ટાર ટ્રેનિંગ સેન્ટર
અમદાવાદમાં જેલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક અત્યાધુનિક સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ ચાલી રહ્યું છે. આ સેન્ટરમાં VIP રૂમ, ઓલિમ્પિક સ્વિમિંગ પુલ, વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને હાઇ સિક્યોરિટી સેલ જેવી અદ્યતન સુવિધાઓ હશે. 250 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સંકુલ પોલીસ અને જેલ સિપાહીઓ માટે તાલીમનું મુખ્ય કેન્દ્ર બનશે. 60 એકર જમીન પર ત્રણ તબક્કામાં નિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટમાં વિશાળ પરેડ ગ્રાઉન્ડ, એથ્લેટિક્સ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ અને હોસ્ટેલની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.
અમદાવાદમાં આકાર પામી રહ્યું છે અદ્યતન ફાઇવ સ્ટાર ટ્રેનિંગ સેન્ટર
નસવાડી સરકારી બી.એડ. કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
નસવાડી સ્થિત સરકારી બી.એડ. કોલેજમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ આનંદ અને ઉમંગભેર ઉજવાયો. કોલેજના આચાર્ય, અધ્યાપકો અને તાલીમાર્થીઓએ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વને દર્શાવતા કાર્યક્રમોમાં ભાગ લીધો. દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદનાથી શરૂઆત થઈ, ત્યારબાદ તાલીમાર્થીઓએ ગુરુ મહિમા ગાન, પ્રાસંગિક પ્રવચનો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. આચાર્યએ આધુનિક યુગમાં પણ ગુરુના અદ્વિતીય સ્થાન પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું.
નસવાડી સરકારી બી.એડ. કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
ડભોઇ ઢાલનગર વસાહતમાં બિસમાર રોડ
ડભોઇ પાસે ઢાલનગર વસાહતમાં ગટર લાઈન નાખવા માટે કરાયેલા બેદરકારીભર્યા ખોદકામને કારણે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બિસ્માર બન્યો છે. લગભગ 1 કિલોમીટર લાંબો રસ્તો ખરાબ થતાં ગ્રામજનો રોજીંદા કામકાજ માટે પણ હેરાન થઈ રહ્યા છે. 108 એમ્બ્યુલન્સ પણ આવતી નથી, જેના કારણે બીમાર કે સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં જીવનું જોખમ ઊભું થયું છે. શાળાના બાળકો અને શિક્ષકો પણ વાહનો દૂર મૂકીને પગપાળા ચાલી રહ્યા છે. ચોમાસામાં કાદવ-કીચડને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે.
ડભોઇ ઢાલનગર વસાહતમાં બિસમાર રોડ
છોટાઉદેપુરના કુકરદા ગામે માર્ગ સ્ટ્રક્ચર માટે SVNIT ની ટીમનું મહત્વપૂર્ણ સ્થળ નિરીક્ષણ.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ફેઝ-4 હેઠળ છોટાઉદેપુરના કુકરદા ગામમાં માર્ગ સ્ટ્રક્ચરના નિર્માણ માટે SVNIT, સુરતની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણમાં ખોહરી ફળિયા, બોર ડાબરા ફળિયા અને વાકી કડવ ફળિયા તરફ જતા માર્ગો પર જરૂરી પુલ અને કલ્વર્ટ જેવા સ્ટ્રક્ચરની જરૂરિયાતોનું ટેકનિકલ મૂલ્યાંકન કરાયું. ભૌગોલિક સ્થિતિ અને વરસાદી પાણીના વહેણને ધ્યાનમાં રાખીને રૂપરેખા તૈયાર કરાશે. ત્યારબાદ ડ્રોઈંગ, Estimate, અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં માર્ગ નિર્માણ શરૂ થશે, જે ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા હલ કરશે.
છોટાઉદેપુરના કુકરદા ગામે માર્ગ સ્ટ્રક્ચર માટે SVNIT ની ટીમનું મહત્વપૂર્ણ સ્થળ નિરીક્ષણ.
પંચમહાલના મોટા વાજપુરા ગામમાં બાળકીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પૂરાયો
બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની બાળકી ભવ્યાને મોતને ઘાટ ઉતારનાર આદમખોર દીપડાને વન વિભાગે ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક પકડી પાડ્યો. આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી. વનવિભાગની ટીમે ઘટના સ્થળ નજીક રાત્રિના સમયે પાંજરું ગોઠવી દીપડા પર સતત નજર રાખી હતી. દીપડો પકડાયા બાદ ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઊમટ્યા હતા અને વનવિભાગે તેને વધુ કાર્યવાહી માટે જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડ્યો.
પંચમહાલના મોટા વાજપુરા ગામમાં બાળકીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પૂરાયો
ડભોઇ પાલિકા દ્વારા જર્જરિત મકાનોના 40 મિલકત ધારકોને તાત્કાલિક નોટિસ
ડભોઇ નગરપાલિકા દ્વારા બંગાળની ખાડીમાં થયેલા ડીપ ડિપ્રેશનને કારણે ભારે વરસાદની આગાહીના પગલે જર્જરિત અને ભયગ્રસ્ત મકાનોમાં રહેતા 40 મિલકત ધારકોને તાત્કાલિક મકાનો ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે. ચીફ ઓફિસર જયકિશન તડવી અને મહેશભાઈ પરમારની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ નોટિસની કામગીરી હાથ ધરાઈ છે. આગાહી મુજબ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી, નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકોને સાવચેત કરવા રિક્ષા દ્વારા પ્રચાર પણ શરૂ કરાયો છે.
ડભોઇ પાલિકા દ્વારા જર્જરિત મકાનોના 40 મિલકત ધારકોને તાત્કાલિક નોટિસ
ડભોઇના સરિતા રેલવે બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત
ડભોઇના સરિતા રેલવે ઓવરબ્રિજ પર બે કાર વચ્ચે સામસામે અકસ્માત થતાં એક તરફનો બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. સમારકામ હેઠળ હોવાથી એક જ બ્રિજ પર ટ્રાફ્કિ ડાયવર્ટ કરાયો હતો. આ અકસ્માતને કારણે કલાકો સુધી ભારે ટ્રાફ્કિ જામ સર્જાયો હતો, જેમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ મહત્વપૂર્ણ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અનેક પ્રવાસન સ્થળો તરફ દોરી જાય છે, જેથી પ્રવાસીઓને પણ હાલાકી પડી રહી છે.
ડભોઇના સરિતા રેલવે બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત
મહીસાગરમાં કોઠંબા નવીન તાલુકા જાહેર થતાં ટ્રાફિક સમસ્યા વકરી
મહીસાગર જિલ્લાના કોઠંબાને નવીન તાલુકા જાહેર કરાયા બાદ અહીં લોકોની અવરજવર વધી છે, જેના પરિણામે કોઠંબા પોલીસ સ્ટેશન ચોકડીથી અજયમાતા મંદિર સુધી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી વાહનોની લાંબી કતારો લાગે છે. સાંકડી જગ્યા અને ગેરકાયદેસર પાર્કિંગને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. શાળા, કોલેજ અને બજારના સમયે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકી પડે છે. લોકો ટ્રાફિક નિયમન માટે પોલીસ કર્મચારીઓની કાયમી નિમણૂક અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.
મહીસાગરમાં કોઠંબા નવીન તાલુકા જાહેર થતાં ટ્રાફિક સમસ્યા વકરી
ગૌરી વ્રત નિમિત્તે ગોધરા પાલિકા દ્વારા અટલ ઉદ્યાનમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ગોધરા શહેરમાં પવિત્ર ગૌરીવ્રત પર્વ નિમિતે ગોધરા શહેરના મધ્યમાં આવેલા અટલ ઉદ્યાન ખાતે આ વર્ષે નગર પાલિકાના સત્તાધીશો પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તેમજ તમામ સભ્યો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શહેરની કુંવારિકાઓ બાળાઓ અને તેમના પરિવારજનોએે લાઈવ સિંગિંગ, રાસ અને ગરબા, વિવિધ રમતો અને સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતાઓ માટે આકર્ષક ઇનામો, નાની બાળાઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. જાગરણના દિવસે LED સાથે વિશેષ કાર્યક્રમ યોજાનાર છે.
ગૌરી વ્રત નિમિત્તે ગોધરા પાલિકા દ્વારા અટલ ઉદ્યાનમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
પંચમહાલમાં ગૌરીવ્રત નિમિત્તે ગોકળપુરા પ્રાથમિક શાળામાં કન્યાઓને શ્રુંગાર કિટનું વિતરણ
કાલોલ તાલુકાની ગોકળપુરા પ્રાથમિક શાળા ખાતે ગૌરી વ્રતના અવસરે કન્યાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સેવા ગ્રુપ, સન ફર્મા, હાલોલ તરફથી મયંક ભગત તથા પંચમહાલ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શેફલીબેન ઉપાધ્યાયના સહયોગથી બાળાઓને શ્રુંગાર કિટનું વિતરણ કરાયું હતું.
પંચમહાલમાં ગૌરીવ્રત નિમિત્તે ગોકળપુરા પ્રાથમિક શાળામાં કન્યાઓને શ્રુંગાર કિટનું વિતરણ
કાલોલની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગૌરીવ્રત નિમિતે ડ્રાયફ્રૂટનું વિતરણ
કાલોલના શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગૌરીવ્રત નિમિતે ડેરોલ સ્ટેશન રોટરી ક્લબ દ્વારા ડ્રાયફ્રુટ અને એજ્યુકેશન કીટનું વિતરણ કુમારિકાઓને કરાયું હતું. આ પ્રસંગે ડેરોલ સ્ટેશન રોટરી ક્લબના પ્રમુખ ચિરાગ વ્યાસ, મંત્રી દક્ષેશ બ્રહ્મભટ્ટ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગૌરી વ્રત નિમિતે મહેંદી હરીફાઈ અને કેશ ગૂંથણ જેવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. આચાર્ય રિતેશભાઈ પંડયાએ આભાર વિધી કરી હતી.
કાલોલની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગૌરીવ્રત નિમિતે ડ્રાયફ્રૂટનું વિતરણ
ગોધરાની સાંદિપની વિદ્યામંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી: આચાર્યનું સન્માન
ગોધરામાં સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાંદિપની વિદ્યામંદિર અને નર્સિંગ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ટ્રસ્ટ પ્રમુખ દિલીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, સરસ્વતી પૂજન, રંગોળી અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ. આ પ્રસંગે, સેવા નિવૃત્ત થઈ રહેલા આચાર્ય ભરતભાઈ ઉપાધ્યાયને શાલ, શ્રીફળ અને મોમેન્ટો આપી ભાવભીની વિદાય આપવામાં આવી. આચાર્ય વિપુલભાઈ શાહે આભારવિધિ કરી.
ગોધરાની સાંદિપની વિદ્યામંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી: આચાર્યનું સન્માન
દયાળ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબૂક વિતરણ
ગોધરામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે આદિવાસી વિકાસ ફઉન્ડેશન ગોધરા દ્વારા દયાળ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબૂક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી વિકાસ ફઉન્ડેશનના સભ્યો એમ.એમ. પારગી, દેવજીભાઈ ડામોર, સુરેશભાઈ કલારા, તુષાર ભગોરાએ હાજર રહી બાળકોને નોટબુક, પેન, પેન્સિલ અને કેળાંના પ્રસાદનું વિતરણ કર્યું હતું.
દયાળ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબૂક વિતરણ
પંચમહાલના શહેરામાં ગ્રીનપાર્ક સોસાયટીમાંથી 6 ફૂટ લાંબા ધામણ સાપનું સફળ રેસ્ક્યુ.
શહેરાના ગ્રીન પાર્ક અને શાન્તા કુંજ સોસાયટીમાં વારંવાર સાપ નીકળવાની ઘટનાઓથી રહીશોમાં ભય હતો. ગ્રીન પાર્ક સોસાયટીમાં એક મકાન પાછળ 6 ફૂટ લાંબો ધામણ સાપ જોવા મળતાં વન વિભાગને જાણ કરાઈ. રાઉન્ડ ફેરેસ્ટર સી.બી. બારિયા, શક્તિભાઈ માલીવાડ અને ભાવેશ રાવલે મહેનત કરીને સાપને રેસ્ક્યુ કર્યો. ત્યારબાદ સાપને સુરક્ષિત રીતે તેના કુદરતી રહેઠાણ જંગલમાં છોડી દેવાતાં રહીશોએ રાહત અનુભવી.
પંચમહાલના શહેરામાં ગ્રીનપાર્ક સોસાયટીમાંથી 6 ફૂટ લાંબા ધામણ સાપનું સફળ રેસ્ક્યુ.
સુરત ગ્રીન આર્મી ટ્રસ્ટના 10 વર્ષ: 1.75 લાખ વૃક્ષોનું રોપણ અને ફાઉન્ડરનો જન્મદિવસ સાથે ઉજવાયો
365 દિવસ વૃક્ષારોપણ કરતી ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટને 10 વર્ષ પૂર્ણ થયા છે, જેમાં સંસ્થાએ 1.75 લાખ વૃક્ષોનું રોપણ કરી તેની માવજત પણ કરી રહ્યું છે. રોજ સવારે 5 વાગે 4 ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવા નીકળી જાય છે. 350 સભ્યોની ટીમ અવિરત વૃક્ષારોપણ કરે છે, જેમાં પાલ- અડાજણ, વેસુ, મોટાવરાછા અને સરથાણા જેવા વિસ્તારોમાં નવા વિકસિત વિસ્તારોમાં પણ વૃક્ષારોપણ થાય છે. દરેક વૃક્ષની ચાર વર્ષ સુધી દેખરેખ રાખવામાં આવે છે. સંસ્થાના ફાઉન્ડર તુલસીભાઈ માંગુકિયાએ તેમના 72માં જન્મદિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કરના અભિયાન સાથે જોડાઈને 48 વૃક્ષોનું રોપણ કર્યું.
સુરત ગ્રીન આર્મી ટ્રસ્ટના 10 વર્ષ: 1.75 લાખ વૃક્ષોનું રોપણ અને ફાઉન્ડરનો જન્મદિવસ સાથે ઉજવાયો
ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ સાનિધ્યે કાવડિયાઓ ઉમટી પડશે
ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના કારણે ભગવાન શિવના પ્રિય એવા આ પવિત્ર માસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં હજુ 15 દિવસ બાકી હોવા છતાં, ઉત્તરના રાજ્યોમાં 15 દિવસ વહેલો શ્રાવણ માસ શરૂ થાય છે. સોમનાથ સાનિધ્યે પણ કાવડ યાત્રાળુઓના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. શિવભક્તો પવિત્ર નદીઓમાંથી જળ લાવીને ભગવાન શિવનો જળાભિષેક કરશે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોના ભાવિકો સોમનાથ મહાદેવને જળ અર્પણ કરવા માટે ઉમટી પડશે. આમ, આગામી દોઢ માસ સુધી સોમનાથમાં ભક્તોની ભારે ભીડ રહેશે.
ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ સાનિધ્યે કાવડિયાઓ ઉમટી પડશે
પાલનપુરમાં 48 વખત મત આપનાર 102 વર્ષના મેરૂમાનું નિધન
પાલનપુર શહેરમાં 48 વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર 102 વર્ષીય મહેરૂનીશા મસીઉદ્દીન કાદરી (મેરૂમા) નું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના વતની હતા અને વ્યવસાય અર્થે પાલનપુરમાં સ્થાયી થયા હતા. તેમણે ટાયર પંચરની દુકાન શરૂ કરીને હિન્દુ પરિવારો સાથે એક મકાનમાં રહી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના પુત્ર સિતાબભાઈ કાદરીએ જણાવ્યું કે, તેમણે નગરપાલિકા, વિધાનસભા અને લોકસભા સહિત અનેક ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું.
પાલનપુરમાં 48 વખત મત આપનાર 102 વર્ષના મેરૂમાનું નિધન
સુરેન્દ્રનગરની એમપી શાહ કોલેજ ગ્રાઉન્ડમાં મેળા સામે HCમાં પિટિશનની ચીમકી
સુરેન્દ્રનગર સ્થિત એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં શ્રાવણી સાતમ-આઠમનો લોકમેળો યોજાવાની શક્યતાને પગલે સિનિયર સિટિઝનો અને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ છે. મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી મેળાને અન્ય સ્થળે ખસેડવાની ઉગ્ર રજૂઆત કરાઈ છે. કોલેજમાં 2500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, NCC બટાલીયન અને હોસ્ટેલ પણ છે. સિનિયર સિટિઝનો, પોલીસ અને GPSC પરીક્ષાના ઉમેદવારો પણ આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે. મેળાથી થતી ગંદકી અને તોડફોડ શિક્ષણ તથા જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો નિર્ણય નહીં બદલાય તો હાઈકોર્ટમાં પિટિશન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
સુરેન્દ્રનગરની એમપી શાહ કોલેજ ગ્રાઉન્ડમાં મેળા સામે HCમાં પિટિશનની ચીમકી
રોટરી ક્લબની પહેલ: એચયુએમએફ પ્રોજેક્ટ હેઠળ 55 ગર્ભવતી બહેનોને પોષણ કિટ વિતરણ
રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા માતા અને બાળકના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા, એચયુએમએફ – હેલ્ધી ફુડ એન્ડ ન્યુટ્રીશીયન કિટ પ્રોગ્રામ ફોર પ્રેગ્નેટ લેડીઝ પ્રોજેક્ટ હેઠળ જોરાવરનગર સરકારી હોસ્પિટલમાં 55 ગર્ભવતી બહેનોને પોષણ કિટનું વિતરણ કરાયું. કિટમાં ગોળ, ચણા, પ્રોટીન પાઉડર અને આયર્ન સિરપ જેવી વસ્તુઓ હતી. લાભાર્થીઓને પ્રોટીન પાઉડર અને આયર્ન સિરપના ઉપયોગ તેમજ પોષણના મહત્વ વિશે માર્ગદર્શન અપાયું. આગામી વર્ષ દરમિયાન દર મહિને 55 બહેનોને કિટ આપવાનો સંકલ્પ છે.
રોટરી ક્લબની પહેલ: એચયુએમએફ પ્રોજેક્ટ હેઠળ 55 ગર્ભવતી બહેનોને પોષણ કિટ વિતરણ
જેલનો નશીલા પદાર્થનો વાયરલ વીડિયો 2025નો
સુરેન્દ્રનગર સબ જેલમાં નશીલા પદાર્થો પહોંચતા હોવાનો વાયરલ વીડિયો 2025નો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વીડિયોમાં ગંભીર નશીલા પદાર્થો નહીં, પરંતુ નાસ્તાના પડીકામાં છૂટી તમાકુ અને ચૂનાની ટોટી હોવાનું સ્પષ્ટ થયું છે. અગાઉ જેલ પ્રશાસન પર પ્રતિબંધિત વસ્તુઓ મળવાના આરોપો હતા, પરંતુ હાલ કડક સુરક્ષા છે. જેલ સુપ્રિટેન્ડેન્ટ એ.આર. હાલપરાની તકેદારીને પગલે કેદીઓના સગા દ્વારા બદનામ કરવા જૂનો વીડિયો વાયરલ કરાયો હોવાની શક્યતા છે. આ મામલે તપાસ અને પગલાં લેવાની તજવીજ ચાલી રહી છે.
જેલનો નશીલા પદાર્થનો વાયરલ વીડિયો 2025નો
ધ્રાંગધ્રાના રાજસીતાપુરની માસૂમ સ્કૂલના બાળકનું મોત
રાજસીતાપુરની માસુમ સ્કૂલના યુ.કે.જી.ના વિદ્યાર્થી દિવ્યરાજસિંહના અકસ્માતે મૃત્યુ બાદ શાળાને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે. RTO વિભાગને બસના PUC અને ફિટનેસ સર્ટિ. સહિતના ડોક્યુમેન્ટ તપાસવા જણાવાયું છે. શાળાની બસનું તળિયું તૂટી જતા બાળક રોડ પર પટકાયું હતું, જેમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળા પાસે કેટલી બસ છે, GPS અને CCTV છે કે કેમ, તથા વીમા અંગેના આધાર રજૂ કરવા જણાવાયું છે. RTO રિપોર્ટ બાદ સમગ્ર વિગતો ગાંધીનગર મોકલવામાં આવશે.
ધ્રાંગધ્રાના રાજસીતાપુરની માસૂમ સ્કૂલના બાળકનું મોત
₹75 લાખના બિલ મુદ્દે દબાણ, ચિલ્ડ્રન યુનિ.ના રજીસ્ટ્રાર સંજય ગુપ્તાનું રાજીનામું
ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. ટોય હાઉસ બિલ્ડિંગ માટે બીપીસીએલના CSR ફંડમાંથી મળેલી ગ્રાન્ટનો ઉપયોગ ટેન્ડર કરતાં વધુ ચૂકવણી અને નવા કેમ્પસમાં કરવામાં આવ્યો હતો. આશરે 75 લાખ રૂપિયાના બિલ પર સહી કરવા રજીસ્ટ્રાર સંજય ગુપ્તાને આદેશ કરાતાં તેમણે તાત્કાલિક મેઈલ દ્વારા રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ વિશ્વાસુ અધિકારીની નિમણૂંક શક્ય છે. આર્થિક ગોટાળાથી વાકેફ ફાયનાન્સ ઓફિસરની પણ બદલી કરાઈ હોવાનો આક્ષેપ છે.
₹75 લાખના બિલ મુદ્દે દબાણ, ચિલ્ડ્રન યુનિ.ના રજીસ્ટ્રાર સંજય ગુપ્તાનું રાજીનામું
સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ માટે કેશોદ એસોસિએશન દ્વારા રૂ. 1.51 લાખનો ચેક અર્પણ
દેશની સીમાઓની સુરક્ષા અને આપદાઓ વખતે રાષ્ટ્રસેવા માટે તત્પર રહેતા સશસ્ત્ર દળોના સેવારત તેમજ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અર્થે કેશોદ મંડપ, ઈલેક્ટ્રીક, સાઉન્ડ એન્ડ ફ્લાવર એસોસિએશન દ્વારા રૂ. 1,51,551/- નો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં અર્પણ કરવામાં આવ્યો. જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારીએ આપેલા અનુદાન બદલ આભાર વ્યક્ત કરી નાગરિકો અને સંસ્થાઓને યથાશક્તિ આર્થિક સહયોગ આપવા અપીલ કરી છે.
સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ માટે કેશોદ એસોસિએશન દ્વારા રૂ. 1.51 લાખનો ચેક અર્પણ
પોરબંદરના ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશેષ ANC કેમ્પ
પોરબંદરના ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય અને સુખમય માતૃત્વ માટે એક વિશેષ એ.એન.સી. (ANC) કેમ્પનું સફળ આયોજન થયું. આ કેમ્પમાં ગરેજ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 45 સગર્ભા બહેનોએ ભાગ લીધો અને આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો. ડૉ. કુછડીયા અને ડૉ. ગરીબા દ્વારા તેમની તબીબી તપાસ કરવામાં આવી. એચ.બી., બ્લડ સુગર, બ્લડ ગ્રુપ જેવા જરૂરી ટેસ્ટ સ્થળ પર જ થયા. પોષણ અને ગર્ભાવસ્થા દરમિયાનના જોખમો વિશે માર્ગદર્શન અપાયું. 'ખિલખિલાટ' વાહન દ્વારા વિનામૂલ્યે આવવા-જવાની વ્યવસ્થા કરાઈ.
પોરબંદરના ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશેષ ANC કેમ્પ
પોરબંદરના રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી. જેમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે જાણકારી અપાઈ. તજજ્ઞોએ અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણ અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ, વિવિધ પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની રીત સમજાવી. ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ વધારવા પ્રોત્સાહન અપાયું.
પોરબંદરના રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો, જેમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા 5 મહાનુભાવો અને ગુજરાતના 35 જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ શિક્ષકો તથા આચાર્યોનું ભાવપૂજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને વૈદિક સૂક્ત પાઠથી થયો. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. રતિલાલ બોરીસાગરને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિત વિવિધ પુરસ્કારો અર્પણ કરાયા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં ગુરુનું કાર્ય ચારિત્ર્ય નિર્માણ અને લક્ષ્ય નિર્ધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.