ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ સાનિધ્યે કાવડિયાઓ ઉમટી પડશે
ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ સાનિધ્યે કાવડિયાઓ ઉમટી પડશે
Published on: 31st July, 2026

ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના કારણે ભગવાન શિવના પ્રિય એવા આ પવિત્ર માસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં હજુ 15 દિવસ બાકી હોવા છતાં, ઉત્તરના રાજ્યોમાં 15 દિવસ વહેલો શ્રાવણ માસ શરૂ થાય છે. સોમનાથ સાનિધ્યે પણ કાવડ યાત્રાળુઓના આગમનની શરૂઆત થઈ ચૂકી છે. શિવભક્તો પવિત્ર નદીઓમાંથી જળ લાવીને ભગવાન શિવનો જળાભિષેક કરશે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોના ભાવિકો સોમનાથ મહાદેવને જળ અર્પણ કરવા માટે ઉમટી પડશે. આમ, આગામી દોઢ માસ સુધી સોમનાથમાં ભક્તોની ભારે ભીડ રહેશે.