મોરબીમાં ૧૭ સપ્ટેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળો: ખાનગી ક્ષેત્રે નોકરીની સુવર્ણ તક
મોરબીમાં ૧૭ સપ્ટેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળો: ખાનગી ક્ષેત્રે નોકરીની સુવર્ણ તક
Published on: 16th September, 2026

રોજગાર વિનિમય કચેરી - મોરબી દ્વારા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧ વાગ્યે શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના અનેક ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ વિનામૂલ્યે ઉમેદવારોની પસંદગી કરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક નોનમેટ્રિક, એસએસસી, એચએસસી, આઇટીઆઇ કે સ્નાતકની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું છે.