ધોળકાના બદરખામાં તંત્રની બેદરકારી
ધોળકાના બદરખામાં તંત્રની બેદરકારી
Published on: 20th September, 2026

અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના બદરખા ગામે રામદેવપીરના નેજા યાત્રા દરમિયાન ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી શ્રદ્ધાળુઓએ ઘૂંટણસમા ગંદા પાણીમાંથી પસાર થઈને નેજા યાત્રા યોજવાની ફરજ પડી. ભક્તોએ ભજન-ગાન સાથે ઉજવણી કરી, પરંતુ મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીએ વિઘ્ન સર્જ્યું. ધર્મ અને ભક્તિના પ્રતીક સમાન આ પ્રસંગે પણ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં તંત્રની નિષ્ફળતા સામે ગ્રામજનો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.