ગુજરાતમાં 78 લાખ બેન્ક ખાતામાં ₹2837 કરોડ બિનવારસી
ગુજરાતમાં 78 લાખ બેન્ક ખાતામાં ₹2837 કરોડ બિનવારસી
Published on: 20th September, 2026

કેન્દ્રીય નાણા મંત્રાલયની 'આપ કી પુંજી આપ કા અધિકાર' ઝુંબેશના એક વર્ષ બાદ પણ ગુજરાતની બેંકોમાં 78,62,619 એકાઉન્ટમાં ₹2,837.81 કરોડની રકમ બિનવારસી પડી છે. આ કરોડોની લાવારિસ રકમને પરત મેળવવા પ્રયાસો તેજ કરાયા છે. અમદાવાદ જિલ્લામાં ₹489.85 કરોડની બિનવારસી Deposit સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ સુરત, વડોદરા, નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે. RBI અને નાણા મંત્રાલયે બેંકોને બિનવારસી બેન્ક ખાતા સક્રિય કરવા સૂચના આપી છે. રકમ વધવા પાછળ યોજનાઓના ખાતા, સંકલનનો અભાવ જેવા કારણો છે.