કચ્છ-સૌરાષ્ટ્રમાં 3-4 દિવસમાં ચોમાસાની વિદાય
કચ્છ-સૌરાષ્ટ્રમાં 3-4 દિવસમાં ચોમાસાની વિદાય
Published on: 20th September, 2026

કેરળથી 4 જૂન 2026ના રોજ શરૂ થયેલું નૈઋત્યનું ચોમાસું 19 સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાનું શરૂ કરી ચૂક્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાની સત્તાવાર વિદાય બાદ, આગામી ત્રણ-ચાર દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ ચોમાસું વિદાય લેશે. દેશના આઠ રાજ્યોમાં હવે સૂકું હવામાન રહેશે, જ્યારે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે. આંદામાનમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ઓડિશા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદની ગતિવિધિ વધશે.