અમદાવાદમાં મીઠાઈ-માવામાં ભેળસેળ રોકવા 22 એકમોમાં દરોડા
અમદાવાદમાં મીઠાઈ-માવામાં ભેળસેળ રોકવા 22 એકમોમાં દરોડા
Published on: 25th August, 2026

તહેવારો પહેલાં અમદાવાદ AMCના ફૂડ વિભાગે મીઠાઈઓમાં થતી ભેળસેળ રોકવા 22 ખાદ્ય એકમો પર દરોડા કર્યા. કાજુ કતરીમાં ચાંદીના વરખની જગ્યાએ અન્ય ધાતુ મળતાં એક સપ્લાયર એકમ સીલ કરાયું. અન્ય એકમમાં FSSAI લાયસન્સ ન હોવા અને અસ્વચ્છતા જણાતાં તેને પણ સીલ કરાયું. સ્થળ પર રેપિડ ટેસ્ટિંગ બાદ આ કાર્યવાહી કરાઈ. લેબોરેટરી રિપોર્ટના આધારે FSSAI અને GPMC Act હેઠળ કડક પગલાં લેવાશે.