મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર સુરત પાસે પથ્થરમારો
મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર સુરત પાસે પથ્થરમારો
Published on: 25th August, 2026

મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22961) પર સુરત નજીક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ઉત્રાણ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ મુસાફરી કરી રહ્યા હતા, જેઓ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સુરક્ષિત રહ્યા. સદભાગ્યે કોઈ મુસાફરને ઈજા થઈ નથી, પરંતુ C-6 અને C-10 કોચના કાચને નુકસાન થયું છે. પોલીસે એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.