પ્રેમ સંબંધમાં ત્યજેલી બાળકીના વેચાણનો પર્દાફાશ
પ્રેમ સંબંધમાં ત્યજેલી બાળકીના વેચાણનો પર્દાફાશ
Published on: 20th September, 2026

પાટણના સમીના કઠીવાડા પાસે મળેલી ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં ઝડપાયેલા પરેશ ઠાકોર અને રેખાબેન વાલ્મિકીએ કબૂલ્યું છે કે તેમણે અમદાવાદના સિકંદર પાસેથી રૂ. 10 હજારમાં બાળકી ખરીદી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બાળક ન હોવાથી તેમણે આ બાળકી લીધી હતી. પરંતુ બાળકીના મુદ્દે થતાં ઝઘડા બાદ તેમણે બાળકીને ત્યજી દીધી હતી. પોલીસ હવે બાળકી વેચનાર સિકંદરની શોધખોળ કરી રહી છે અને માલેગામ ખાતે એક ટીમ તપાસ માટે રવાના થઈ છે. આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.