રાણપુર કોંગ્રેસ પ્રમુખે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખને જાનથી મારી નાખવાની આપી ધમકી
રાણપુર કોંગ્રેસ પ્રમુખે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખને જાનથી મારી નાખવાની આપી ધમકી
Published on: 20th September, 2026

બોટાદના રાણપુર તાલુકામાં પેવર બ્લોકના નબળા કામકાજ અંગે ટીડીઓને અરજી કરાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આસીફખાન પરમારને સ્થાનિક રહીશ પાસેથી ખોદકામ વિના જ નબળા પેવર બ્લોક નાખવાની માહિતી મળતા તેમણે ટીડીઓ કચેરી ખાતે અરજી કરાવવામાં મદદ કરી હતી. આ બાબતે રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બસીરભાઈ ઉર્ફે સુખાભાઇ ખટૂંબરાએ આસીફખાનને ધમકી આપી હતી કે, "તને ગાયબ કરી દઈશ." આ અંગે આસીફખાન પરમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.