સુરતમાં પૂરની આફત વચ્ચે ભાજપ મહિલા મોરચાનો મહેંદી કાર્યક્રમ
સુરતમાં પૂરની આફત વચ્ચે ભાજપ મહિલા મોરચાનો મહેંદી કાર્યક્રમ
Published on: 24th July, 2026

સુરત સહિત દક્ષિણ ગુજરાત હજુ પણ ભારે વરસાદ, ખાડી પૂર અને નદી પૂરની આફતમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યું નથી. હજારો પરિવારો ઘરોમાંથી પાણી અને કાદવ કાઢવામાં વ્યસ્ત છે, જ્યારે વેપારીઓ કરોડો રૂપિયાના નુકસાનમાંથી ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, 27 જુલાઈએ ભાજપ મહિલા મોરચા દ્વારા મહેંદી સ્પર્ધાના આયોજનની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જ્યારે આખું શહેર આફત સામે લડી રહ્યું છે, ત્યારે શાસક પક્ષની પ્રાથમિકતા રાહત અને માનવસેવા હોવી જોઈએ કે મહેંદીનો ઉત્સવ? આયોજનમાં મેયર માયા માવાણીને ટેગ કરાતા વિવાદ વધુ વકર્યો છે.