અમદાવાદના સરસપુર-રખિયાલમાં વરસાદી પાણી ભરાતા રહેવાસીઓ ત્રાહિમામ
અમદાવાદના સરસપુર-રખિયાલમાં વરસાદી પાણી ભરાતા રહેવાસીઓ ત્રાહિમામ
Published on: 24th July, 2026

છેલ્લા બે દિવસના વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. સરસપુર-રખિયાલ વોર્ડના મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીઓમાં પાણી ભરાતા વાહનચાલકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. વર્ષોથી આ સમસ્યા યથાવત છે, અને તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. કરોડોના વિકાસ કાર્યો છતાં બે દિવસના વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાવા એ પ્રશ્ન ઉભો કરે છે. ડ્રેનેજ વ્યવસ્થાની સમસ્યા કાયમી બની ગઈ છે.