અધિક માસની પૂનમે ચોટીલામાં માઈભક્તોનો સાગર.
અધિક માસની પૂનમે ચોટીલામાં માઈભક્તોનો સાગર.
Published on: 01st June, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં અધિક માસની મોટી પૂનમના પવિત્ર દિવસે માતા ચંડી ચામુંડાના દર્શનાર્થે રાજ્યભરમાંથી હજારો માઈભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ડુંગર પર ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં માતાજીને વિશેષ શણગાર અને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ઉનાળુ વેકેશન, અધિક માસની પૂનમ અને રવિવારના સંયોગે ચોટીલા નગર અને હાઈવે પર વાહનોના થપ્પા લાગી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.