નેપાળ પૂર: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક પરિવારના ત્રણ સભ્યો ગુમ
નેપાળ પૂર: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક પરિવારના ત્રણ સભ્યો ગુમ
Published on: 28th August, 2026

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભયાનક પૂર અને તારાજી વચ્ચે ગુજરાતના અનેક શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમાં સુરતના એક પરિવારના ત્રણ સભ્યો લાપતા થતાં ચિંતાનો માહોલ છે. સુરતના પરેશ નટવરલાલ પટેલ, પત્ની જ્યોતિબહેન પટેલ (US નિવાસી) અને દીકરી મીનાક્ષીબહેન રામાણી (મુંબઈ નિવાસી) માનસરોવર યાત્રા દરમિયાન સંપર્ક વિહોણા બન્યા છે. 23મી ઓગસ્ટે તેમનો છેલ્લો સંપર્ક થયો હતો. નેપાળ-તિબેટ સરહદે નેટવર્ક ઠપ થતાં તલાશી અભિયાન તેજ બન્યું છે. વૃદ્ધ માતા સુશીલાબહેન પટેલે સરકાર પાસે પરિવારને શોધી લાવવા આજીજી કરી છે.