જૂનાગઢમાં 4481 બાળકોને અભ્યાસમાં પુન: પ્રવેશ
જૂનાગઢમાં 4481 બાળકોને અભ્યાસમાં પુન: પ્રવેશ
Published on: 20th September, 2026

જૂનાગઢ જિલ્લામાં અડધેથી અભ્યાસ છોડી દીધેલા 4481 બાળકોને શોધી કાઢી પુન: શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ બાળકોને અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી, તાલુકાઓમાંથી પસંદ કરાયેલા 100 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ નિરિક્ષક રણવિંરસિંહ પરમારે જણાવ્યું કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના કુલ 4481 બાળકોને ફરીથી શિક્ષણ સાથે જોડવામાં આવ્યા છે. આ બાળકો હાલ નિયમિત અભ્યાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં કલેકટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.