આવતીકાલે પાટણથી અંબાજી પગપાળા સંઘોનો ભાદરવી પૂનમ મેળા માટે પ્રસ્થાન
આવતીકાલે પાટણથી અંબાજી પગપાળા સંઘોનો ભાદરવી પૂનમ મેળા માટે પ્રસ્થાન
Published on: 20th September, 2026

આવતીકાલે સોમવારે, પાટણથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના ભવ્ય મેળા માટે 80 થી વધુ પગપાળા સંઘો પ્રસ્થાન કરશે. અંદાજે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના ધામે દર્શનાર્થે જશે. આ સંઘો "બોલ મારી અંબે"ના નાદ સાથે માતાજીની પૂજા-અર્ચના અને આરતી બાદ યાત્રા શરૂ કરશે. ઘણા સંઘો છેલ્લા 26-27 વર્ષોથી આ પરંપરા જાળવી રહ્યા છે, જે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે.