અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. લાઠી, દામનગર, ઠાંસા, ધુફણીયા, કેરાળા, દુધાળા, મેમદા અને આંબરડી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. સાવરકુંડલા તાલુકાના ઘોબા, પીપરડી અને મોટા ભમોદરા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને ખૂબ ફાયદો થયો છે, જે ખેડૂતો માટે આનંદદાયક છે.
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
ગુજ્જુ લવગુરુના બેસણામાં ખજૂરભાઈ
લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ'ના માર્ગ અકસ્માતમાં નિધન બાદ, સુઈગામ ખાતે યોજાયેલા તેમના બેસણામાં અનેક ચાહકો અને ક્રિએટરો ઉમટી પડ્યા હતા. ગુજરાતના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પણ પરિવારના દુઃખમાં સહભાગી થયા. તેમણે ગુજ્જુ લવગુરુના અકાળે અવસાન બાદ પરિવારની આર્થિક સ્થિતિ જોઈને પોતાના ખર્ચે નવું ઘર બનાવી આપવાની જાહેરાત કરી છે. સાથે જ, પરિવાર માટે ₹2 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવા લોકોને અપીલ કરી છે.
ગુજ્જુ લવગુરુના બેસણામાં ખજૂરભાઈ
સુરતમાં ગણેશોત્સવમાં શાકભાજીથી બનાવેલ વિશાળ ગણેશ પ્રતિમા
સુરતમાં ગણેશોત્સવ નિમિત્તે સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. 7 ટન શાકભાજી અને લીલોતરીનો ઉપયોગ કરીને 100 બાય 50 ફૂટની વિશાળ ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે, જે ભારતમાં પ્રથમ વખત શાકભાજીમાંથી બનેલી સૌથી મોટી પ્રતિકૃતિ હોવાનો દાવો છે. આ પ્રતિકૃતિનું વિસર્જન કરવાને બદલે, કાર્યક્રમ બાદ તમામ શાકભાજી અને ઘાસ ગૌમાતાના ચારા માટે અર્પણ કરવામાં આવશે. આ પહેલ દ્વારા પર્યાવરણ જાળવણી અને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો છે.
સુરતમાં ગણેશોત્સવમાં શાકભાજીથી બનાવેલ વિશાળ ગણેશ પ્રતિમા
ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર ખતરામાં
ઉત્તરાખંડના 23 મુખ્ય ગ્લેશિયરમાંથી 1990-2024 દરમિયાન કુલ 25,621.01 મીટરનો ઘટાડો નોંધાયો છે, જે Climate Change ની ગંભીર અસર દર્શાવે છે. સરેરાશ Retreat Rate 23.23 મીટર પ્રતિ વર્ષથી વધીને 24.63 મીટર પ્રતિ વર્ષ થયો છે. ખાતલિંગ ગ્લેશિયર પ્રતિ વર્ષ 88 મીટરની ઝડપે પીગળી રહ્યો છે. આ ગ્લેશિયરના પીગળવાનો દર માત્ર તાપમાન પર નિર્ભર નથી, પણ કાટમાળ, ઊંચાઈ, ઢાળ, કદ અને દિશા પણ મહત્વપૂર્ણ પરિબળો છે. મિલામ ગ્લેશિયરમાં 480 મીટરનો ઘટાડો અને 47 Glacier Lakes બન્યા છે, જે ભવિષ્યમાં જોખમ ઊભું કરી શકે છે.
ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર ખતરામાં
જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને રૂ. 9.95 લાખનો દંડ
જામનગરમાં ચેક રિટર્નના એક કિસ્સામાં, અદાલતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને રૂ. 9,95,000નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ચૂકવાય તો ત્રણ માસની વધારાની સાદી કેદની સજા ભોગવવી પડશે. ટ્રકના ભાડા અને કિંમત પેટે રૂ. 9,95,000નો ચેક "સિગ્નેચર ડિફર"ના કારણે પરત ફર્યો હતો. કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને રૂ. 9.95 લાખનો દંડ
જામનગરના કુબેરપાર્કમાં 19 વર્ષીય નેપાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
જામનગરના રણજીતસાગર રોડ પર કુબેરપાર્ક-3માં રહેતી મૂળ નેપાળની 19 વર્ષીય પરિણીતા ઉર્મીલાબેન થાપાએ ગત 18 સપ્ટેમ્બરે રાત્રે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં બાલ્કનીના લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ સીટી-એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબ અકુદરતી મોતની નોંધ કરી છે. PSI એમ.એન. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
જામનગરના કુબેરપાર્કમાં 19 વર્ષીય નેપાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
જામનગર સાયબર ફ્રોડ કેસનો એક વર્ષથી નાસતો આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અક્ષય તુકારામભાઇ ગંગારામને રાજકોટ રેન્જની ટેકનિકલ ટીમ અને જામનગર પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવી પોલીસની પકડથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જની ટેકનિકલ ટીમે ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલીસીસ અને વર્કઆઉટ કરી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું. ટીમે ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી આરોપીને હસ્તગત કરી જરૂરી કાર્યવાહી બાદ જામનગર લાવી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
જામનગર સાયબર ફ્રોડ કેસનો એક વર્ષથી નાસતો આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
રાજકોટ વિશ્વાસઘાત કેસના નાસતા આરોપીને જામનગરથી LCB Police એ ઝડપી પાડ્યો
જામનગર પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી મીલન પ્રવિણભાઈ અગ્રાવતને ખીજડિયા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડ્યો છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાના આરોપીને પકડવા માટે જામનગરના પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો. પૂછપરછ બાદ તેને આગળની કાર્યવાહી માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.
રાજકોટ વિશ્વાસઘાત કેસના નાસતા આરોપીને જામનગરથી LCB Police એ ઝડપી પાડ્યો
સિક્કા નગરપાલિકામાં રૂ. 1000 ની લાંચ માંગવાના કેસમાં નિવૃત્ત ક્લાર્ક સહિત બે સામે ગુનો નોંધાયો
જામનગરના સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખામાં મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એનઓસી આપવા માટે રૂ.1 હજારની લાંચ માંગવાના કેસમાં ACBએ નિવૃત્ત સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અને કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક સહિત બે સામે ગુનો દાખલ કર્યો છે. વર્ષ 2022 માં લાંચનું છટકું નિષ્ફળ ગયા બાદ ખુલ્લી તપાસના અંતે ગુનો નોંધાયો છે. બંને આરોપીઓએ અંગત લાભ માટે હોદ્દાનો દુરુપયોગ કરી ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હોવાનું બહાર આવ્યું છે.
સિક્કા નગરપાલિકામાં રૂ. 1000 ની લાંચ માંગવાના કેસમાં નિવૃત્ત ક્લાર્ક સહિત બે સામે ગુનો નોંધાયો
અમદાવાદમાં બપોર બાદ મિનિ વાવાઝોડું, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું, બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, જ્યારે SG Highway પર વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી પડી. સવારના ઉકળાટ અને બફારા બાદ નાગરિકોને ગરમીમાંથી મોટી રાહત મળી, શહેરમાં આહલાદક ઠંડકનો અનુભવ થયો.
અમદાવાદમાં બપોર બાદ મિનિ વાવાઝોડું, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
૨૪ વર્ષ બાદ રાજસ્થાનનો વોન્ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં ૨૦૦૨માં થયેલી હત્યાના ગુનામાં ૨૪ વર્ષથી ફરાર આરોપી દિનેશ દેસાઈને વેજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. કૌટુંબિક મિલકતના વિવાદમાં આરોપીએ કારથી ટક્કર મારી દલારામ નાઈની હત્યા કરી હતી અને તેને અકસ્માત ગણાવ્યો હતો. ગુનો કર્યા બાદ આરોપી બનાસકાંઠા અને પછી અમદાવાદ આવી ઓળખ છુપાવી મજૂરી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતાં, આરોપી હાલ વેજલપુરમાં જમીન દલાલી કરતો હતો ત્યારે તેને પકડી પાડવામાં આવ્યો.
૨૪ વર્ષ બાદ રાજસ્થાનનો વોન્ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો
અંબાજી ભાદરવી પૂનમનો મેળોમાં વ્યાપક પાર્કિંગ, શેલ્ટર અને ફ્રી ભોજન સુવિધાઓ
પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં 20મીથી 26મી સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા માટે તંત્ર દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા, સલામતી અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વ્યાપક માળખાકીય સુવિધાઓ ઊભી કરાઈ છે. 12,300 ચો.મી.ના રેસ્ટ શેલ્ટર, 2190 ચો.મી.માં ફ્રી ફૂડ શેલ્ટર, 30 વોટર પેગોડા, 33 ટોયલેટ બ્લોક અને 2.67 લાખ ચો.મી.માં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. આરોગ્ય, ઇમરજન્સી અને સુરક્ષા માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
અંબાજી ભાદરવી પૂનમનો મેળોમાં વ્યાપક પાર્કિંગ, શેલ્ટર અને ફ્રી ભોજન સુવિધાઓ
અમદાવાદ-સાંતરાગાછી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેન
આગામી તહેવારોના સમયમાં વધતી પ્રવાસી ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને સાંતરાગાછી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 02833 અમદાવાદથી 22 સપ્ટેમ્બરે બપોરે 2.25 વાગ્યે ઉપડશે, જ્યારે ટ્રેન નંબર 02834 સાંતરાગાછીથી 20 સપ્ટેમ્બરે રાત્રે 12.15 વાગ્યે રવાના થશે. આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, નાગપુર, રાયપુર, રાઉરકેલા અને ખડગપુર સહિત અનેક મુખ્ય સ્ટેશનો પર રોકાશે. તેમાં જનરલ, સ્લીપર અને થર્ડ AC કોચની સુવિધા છે. બુકિંગ IRCTC પર શરૂ થઈ ગયું છે.
અમદાવાદ-સાંતરાગાછી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેન
ટ્યુશનથી પરત ફરતી બાળકીનો પીછો કરનાર યુવક ઝડપાયો
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 7 વર્ષીય બાળકીનો ટ્યુશનથી ઘરે ફરતી વખતે પીછો કરી બિભત્સ ચેનચાળા કરનાર 22 વર્ષીય યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. બાળકીએ પરિવારને જાણ કરતાં સીસીટીવી ફૂટેજમાં આ શખસની કરતૂતો કેદ થઈ ગઈ હતી. પરિવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી બિલાલ અલીહુસેન શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્યુશનથી પરત ફરતી બાળકીનો પીછો કરનાર યુવક ઝડપાયો
ટેન્ડર મંજૂર પ્રક્રિયા 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે
ગુજરાતમાં વિકાસ અને બાંધકામના કામો ઝડપી બનાવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે માર્ગ અને મકાન વિભાગના કામો માટે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે. આ પહેલાં 120 દિવસનો સમય લાગતો હતો. જે કામોમાં પૂર્વ પાત્રતા નથી, ત્યાં 51 દિવસમાં અને જ્યાં પૂર્વ પાત્રતા અને બે બીડ હોય, ત્યાં 66 દિવસમાં મંજૂરી મળશે. ટેન્ડર વેલિડિટી 120 થી ઘટાડી 90 દિવસ કરાઈ છે. વાટાઘાટો ટાળવા અને સમયમર્યાદાના પાલન પર ભાર મૂકાયો છે.
ટેન્ડર મંજૂર પ્રક્રિયા 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવી પડશે
દીવની હોટલ પાર્કિંગમાં કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
દીવના ચોક વિસ્તારમાં એક હોટલના પાર્કિંગમાં કારમાંથી જેતપુરના યુવકનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. સિક્યોરિટી ગાર્ડની શંકા બાદ પોલીસે કારનો કાચ તોડી મૃતદેહ બહાર કાઢ્યો. મૃતક યુવકની ઓળખ નીતિન સરધારા તરીકે થઈ છે. CCTV ફૂટેજમાં યુવક પોતે જ કાર પાર્ક કરતો દેખાય છે. પ્રાથમિક અનુમાન હાર્ટ એટેકનું છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોલીસે યુવક દીવમાં શા માટે આવ્યો હતો અને તેના રોકાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
દીવની હોટલ પાર્કિંગમાં કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
મહેસાણા નર્મદા કેનાલમાં બે યુવતીઓના મૃતદેહ મળ્યા
મહેસાણાના નાની કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાહદારીઓની નજર મૃતદેહો પર પડતાં ઘટનાની જાણ થઈ હતી. આ બંને યુવતીઓના હાથ બાંધેલા હોવાનો દાવો કરાયો છે, જોકે સત્તાવાર પુષ્ટિ નથી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. મૃતદેહોની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા નર્મદા કેનાલમાં બે યુવતીઓના મૃતદેહ મળ્યા
ગુજરાતના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ત્રણ કલાક એટલે કે બપોરે 1 થી 4 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે. રાજકોટ, બોટાદ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અહીં વરસાદનો દર આશરે 5 થી 15 મિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, સાથે ગાજવીજ અને 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપના પવનના ઝાપટાં રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે.
ગુજરાતના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ સાયબર ગઠિયા ટોળકીનો ત્રાસ
અમદાવાદ શહેરમાં ફરી એકવાર સાયબર ઠગ ટોળકી સક્રિય થઈ છે. ગેસ બિલ અપડેટ, ટ્રાફિક મેમો અને ફેસબુક રીલના બહાને ત્રણ નાગરિકો સાથે કુલ રૂ. ૨૧.૮૮ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ટોળકી અજાણી લિંક, સોશિયલ મીડિયા અને બનાવટી APK ફાઇલ દ્વારા મોબાઇલનો એક્સેસ મેળવી બેન્ક ખાતાં સાફ કરી દે છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ગઠિયા ટોળકીનો ત્રાસ
ધોળકાના બદરખામાં તંત્રની બેદરકારી
અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના બદરખા ગામે રામદેવપીરના નેજા યાત્રા દરમિયાન ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી શ્રદ્ધાળુઓએ ઘૂંટણસમા ગંદા પાણીમાંથી પસાર થઈને નેજા યાત્રા યોજવાની ફરજ પડી. ભક્તોએ ભજન-ગાન સાથે ઉજવણી કરી, પરંતુ મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીએ વિઘ્ન સર્જ્યું. ધર્મ અને ભક્તિના પ્રતીક સમાન આ પ્રસંગે પણ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં તંત્રની નિષ્ફળતા સામે ગ્રામજનો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધોળકાના બદરખામાં તંત્રની બેદરકારી
15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, 21 વર્ષના યુવાને ગર્ભવતી બનાવી
વડોદરાના વાઘોડિયા તાલુકામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આમોદના 21 વર્ષીય રોહીત મગન રાઠોડે આ કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા ગર્ભવતી બનતા પરિવારજનોએ પૂછપરછ કરતાં રોહીતનું નામ સામે આવ્યું. પોલીસે આરોપી રોહીત મગન રાઠોડ વિરુદ્ધ દુષ્કર્મ અને સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને ધરપકડના પ્રયાસો શરૂ કર્યા છે.
15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, 21 વર્ષના યુવાને ગર્ભવતી બનાવી
અમદાવાદના માધુપુરામાં વેપારી સાથે ઠગાઈ
અમદાવાદના માધુપુરા માર્કેટમાં એક વેપારી સાથે મોટી ઠગાઈ થઈ છે. પશ્ચિમ બંગાળના બે કારીગરો, સાબિરઅલી શેખ અને આરફીનલી શેખ, જેને વેપારી વિવેક નાગોરીએ 12મી સપ્ટેમ્બરે કાચા સોનામાંથી દાગીના બનાવવા માટે નોકરી પર રાખ્યા હતા, તેઓ માત્ર 4 દિવસમાં 20 લાખ રૂપિયાનું સોનું લઈને ફરાર થઈ ગયા છે. કારીગરોએ વેપારીને વાતમાં ઉલઝાવીને 16મી સપ્ટેમ્બરે 270 ગ્રામ કાચું સોનું અને અડધા તૈયાર થયેલા દાગીના ચોરી લીધા હતા. સીસીટીવી ફૂટેજમાં ચોરી સ્પષ્ટ દેખાઈ રહી છે.
અમદાવાદના માધુપુરામાં વેપારી સાથે ઠગાઈ
સુરતમાં મોંઘવારી વચ્ચે ગણેશોત્સવ બન્યો આવકનો સ્ત્રોત
સુરતમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે અનેક પરિવારોનું બજેટ ખોરવાયું છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ વધતાં એક આવક પર પરિવાર ચલાવવો મુશ્કેલ બન્યો છે. આવા સમયે, સુરતમાં ઉજવાઈ રહેલો ગણેશોત્સવ અનેક નાના પરિવારો માટે વધારાની આવક મેળવવાની તક પૂરી પાડી રહ્યો છે. મોટા ગણેશ મંડપોમાં દર્શન માટે આવતી ભક્તોની ભીડને કારણે મંડપોની આસપાસ ખાણીપીણી અને નાની વસ્તુઓના વેચાણનો ધંધો તેજ બન્યો છે. સામાન્ય દિવસોમાં નોકરી કરતા લોકો પણ સાંજે થોડા કલાકો માટે આ હંગામી ધંધામાં જોડાઈને વધારાની આવક મેળવી રહ્યા છે.
સુરતમાં મોંઘવારી વચ્ચે ગણેશોત્સવ બન્યો આવકનો સ્ત્રોત
હોસ્પિટલના ઘટાદાર વૃક્ષો ધડાધડ કપાતા નિર્દોષ પક્ષીઓ મરી ગયા
અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોળકા નગરપાલિકા દ્વારા સંચાલિત સંતોકબા હોસ્પિટલના પરિસરમાં અંદાજે 10 જેટલા વિશાળ વૃક્ષોને કોઈ પણ જાતની સંવેદના વગર કાપી નાખવામાં આવ્યા. આ ઘટનાના કારણે વર્ષોથી ત્યાં વસવાટ કરતા અને માળા બાંધીને રહેતા સેંકડો નિર્દોષ પક્ષીઓ, જેમાં ઘણા નવજાત બચ્ચાંઓ પણ સામેલ હતા, તેઓએ કરુણ મોતને ભેટી ગયા. ચોમાસાની ઋતુમાં પ્રજનન અને બચ્ચાં ઉછેરવાના મુખ્ય સમયે જ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલના ઘટાદાર વૃક્ષો ધડાધડ કપાતા નિર્દોષ પક્ષીઓ મરી ગયા
ચંદન રાઠોડના બેસણામાં રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ
સુઈગામના પ્રખ્યાત Social Media Influencer ચંદન રાઠોડ 'ગુજ્જુ લવ ગુરુ'ના માર્ગ અકસ્માતમાં અવસાન બાદ તેમના બેસણામાં રાજકીય આગેવાનો અને ચાહકો ઉમટી પડ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે મૃતકના પરિવારને સાંત્વના પાઠવી, ચંદનના બાળકોના અભ્યાસ અને લગ્ન પ્રસંગે મદદની ખાતરી આપી. સાંસદ ગેનીબેન ઠાકોરે પણ બાળકોના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ચંદન રાઠોડના બેસણામાં રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ
ગુજરાતમાં 78 લાખ બેન્ક ખાતામાં ₹2837 કરોડ બિનવારસી
કેન્દ્રીય નાણા મંત્રાલયની 'આપ કી પુંજી આપ કા અધિકાર' ઝુંબેશના એક વર્ષ બાદ પણ ગુજરાતની બેંકોમાં 78,62,619 એકાઉન્ટમાં ₹2,837.81 કરોડની રકમ બિનવારસી પડી છે. આ કરોડોની લાવારિસ રકમને પરત મેળવવા પ્રયાસો તેજ કરાયા છે. અમદાવાદ જિલ્લામાં ₹489.85 કરોડની બિનવારસી Deposit સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ સુરત, વડોદરા, નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે. RBI અને નાણા મંત્રાલયે બેંકોને બિનવારસી બેન્ક ખાતા સક્રિય કરવા સૂચના આપી છે. રકમ વધવા પાછળ યોજનાઓના ખાતા, સંકલનનો અભાવ જેવા કારણો છે.
ગુજરાતમાં 78 લાખ બેન્ક ખાતામાં ₹2837 કરોડ બિનવારસી
ગુજરાતના 21% બાળકો પ્રી-ડાયાબિટિક
ગુજરાતમાં બદલાતી જીવનશૈલીના કારણે બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ‘ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા- 2025’ અહેવાલ મુજબ, 5થી 8 વર્ષના 20.8% અને 10થી 16 વર્ષના 20.9% બાળકો પ્રી-ડાયાબિટીક સ્થિતિમાં છે. આ બાળકો અતિશય ખાંડનું સેવન કરી રહ્યા છે, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે. આ ઉપરાંત, બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ જોવા મળ્યું છે. આ પરિબળો ભવિષ્યમાં હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
ગુજરાતના 21% બાળકો પ્રી-ડાયાબિટિક
ગુજરાતમાં 19.2% વસતી તમાકુની બંધાણી
ગુજરાતમાં તમાકુના વ્યસને ચિંતાજનક સ્તર ગાથ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યની 19.2% વસતી તમાકુનો ઉપયોગ કરે છે, જે પંજાબ, દિલ્હી અને ગોવા જેવા રાજ્યો કરતાં પણ વધુ છે. ખાસ કરીને 45-65 વર્ષની વયજૂથમાં તમાકુનું વ્યસન સૌથી વધુ છે. આ વધતા વપરાશને કારણે રાજ્યમાં ઓરલ કેન્સર (મોઢાનું કેન્સર)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુટખા અને ચાવવાની તમાકુનો ઉપયોગ વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે.
ગુજરાતમાં 19.2% વસતી તમાકુની બંધાણી
કચ્છ-સૌરાષ્ટ્રમાં 3-4 દિવસમાં ચોમાસાની વિદાય
કેરળથી 4 જૂન 2026ના રોજ શરૂ થયેલું નૈઋત્યનું ચોમાસું 19 સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાનું શરૂ કરી ચૂક્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાની સત્તાવાર વિદાય બાદ, આગામી ત્રણ-ચાર દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ ચોમાસું વિદાય લેશે. દેશના આઠ રાજ્યોમાં હવે સૂકું હવામાન રહેશે, જ્યારે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે. આંદામાનમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ઓડિશા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદની ગતિવિધિ વધશે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં 3-4 દિવસમાં ચોમાસાની વિદાય
અમદાવાદના ગોતામાં રોડની દયનીય હાલત
અમદાવાદ શહેરના ગોતા વોર્ડમાં SG Highway અને Science City Road જેવા વિકાસશીલ વિસ્તારોની વચ્ચે, એક મુખ્ય રસ્તાની હાલત અત્યંત દયનીય છે. અહીં 5-5 ફૂટ જેટલા મોટા ગાબડાં પડી ગયા છે, જે ગામડાના કાચા માર્ગને પણ શરમાવે છે. વરસાદ પડતાં આ ખાડામાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. નવા રોડનું કામ STP લાઈનના કારણે અટકાયું હોવાથી, અત્યારે મ્યુનિ. માત્ર વેટમિક્સના થીંગડાં મારીને કામ ચલાવી રહી છે. આ કારણે વાહનચાલકો અકસ્માતો અને વાહનોને નુકસાન થવાનો ભય અનુભવી રહ્યા છે.
અમદાવાદના ગોતામાં રોડની દયનીય હાલત
આજે 75 હજાર ઉમેદવારો TAT-S મેઇન્સની પરીક્ષા આપશે
રાજ્યમાં રવિવારે 75 હજાર ઉમેદવારો TAT-S મેઇન્સ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ અને પશ્ચિમ ગુજરાતમાં અનેક કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને CCTV દેખરેખ રાખવામાં આવી છે. ઉમેદવારોએ જણાવ્યું કે પરીક્ષામાં સ્પર્ધા વધી રહી છે, અને સરકાર દ્વારા પરીક્ષા યોજ્યા બાદ સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી છે. આ પરીક્ષા દ્વારા શિક્ષકોની ઘટ ભરવામાં આવશે.