જામનગરના સત્ય સાંઈ વિદ્યાલયમાં સુદ્રઢ વ્યવસ્થા માટે જામસાહેબ શત્રુશલ્યસિંહજીની પ્રતિબદ્ધતા
જામનગરના સત્ય સાંઈ વિદ્યાલયમાં સુદ્રઢ વ્યવસ્થા માટે જામસાહેબ શત્રુશલ્યસિંહજીની પ્રતિબદ્ધતા
Published on: 24th July, 2026

જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ શ્રી સત્ય સાંઈ વિદ્યાલયના વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું કે, હવે શાળામાં ટૂંક સમયમાં વધુ સુદ્રઢ અને શ્રેષ્ઠ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. પોતાની નબળી તબિયતને કારણે અગાઉ શાળા સંચાલન પર પૂરતું ધ્યાન આપી ન શકવા બદલ તેમણે ક્ષમાયાચના વ્યક્ત કરી. તેમણે વિશ્વાસ અપાવ્યો કે નવી વહીવટી ગોઠવણ ભવિષ્યમાં અયોગ્ય નિર્ણયોને રોકશે અને પારદર્શક વહીવટ, ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ તથા વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખશે.