અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતાં લોકો માટે મોટા સમાચાર!
અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતાં લોકો માટે મોટા સમાચાર!
Published on: 24th July, 2026

અમદાવાદમાં ભારે વરસાદને કારણે ચાંગોદર નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર પાણી ભરાતા અનેક વાહનો ફસાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બગોદરા-સનાથલ હાઈવે બંને તરફથી તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક સ્થળોએ 6થી 7 ફૂટ પાણી ભરાયું હોવાથી વાહનવ્યવહાર અશક્ય બન્યો છે. હાલ વાહનો માટે વેજલકા-એક્સપ્રેસવે-એસપી રિંગ રોડ તથા વિરમગામ-સુરેન્દ્રનગર માર્ગે વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.